Chapter : ઝકાત
(Page : 172)
સવાલ :– ઝૈદે ઉમરને ઝકાતના દસ હજાર રૂપિયા આપ્યા અને કોઈ હકદાર ગરીબને આપવાનો વકીલ બનાવ્યો. ઉમરે મઝકૂર રકમમાંથી પાંચ હજાર રૂપિયા કોઈ હકદારને આપ્યા અને પાંચ હજાર રૂપિયા પોતાના ઉપયોગ માટે પોતાની પાસે રહેવા દીધા, ઝૈદને અમુક મુદ્દત પછી આ વાતની ખબર પડી તો ઝૈદની ઝકાત પૂરી અદા થઈ કે નહિ? અને ઝૈદ ઉમર પાસે મઝકૂર પાંચ હજાર રૂપિયાની માંગણી કરી શકે કે નહિ? અને ઉમર પોતાની દયાનતદારી જાહેર કરવા કસમ ખાય તો શરીઅતની રૂએ કેવું છે?
જવાબ :– જયારે ઝૈદે ઉમરને અન્ય હકદારોને આપવા ઝકાતની રકમ આપી હતી, તો ઉમર માટે તેમાંથી અમુક રકમ પોતાની પાસે રાખવી જાઈઝ નથી અને ઝૈદની એટલી ઝકાત અદા થયેલી નહિ ગણાય, મઝકૂર રકમ ઝૈદ ઉમર પાસેથી પાછી લઈ શકે છે અને પાછી લઈને હકદાર ગરીબોને આપવી પડશે. ઉમર માટે જૂઠી કસમ ખાવી જાઈઝ નથી. (શામી ભાગ–ર/૧૧)
Log in or Register to save this content for later.