Chapter : ઝકાત
(Page : 133-134-135)
સવાલ :– સને ર૦૦ર ના તોફાનોમાં તબાહી પામેલા લોકોની સહાય અર્થે અમે લોકોએ મુસ્લિમ રિલીફ કમીટીની સ્થાપના કરી. આ મકસદને ધ્યાનમાં રાખી અમો ઝકાત, સદકાત અને લિલ્લાહની રકમનું કલેકશન કયુર્ં અને સંસ્થાના બે મેમ્બરોએ ગુજરાત જઈને તોફાનોમાં બેહાલ થયેલા લોકોની મદદ કરી. આ દરમ્યાન દેત્રાલ ગામની એક ફેમીલીએ પોતાના ગામ પાસેની જમીન સંસ્થાને વકફ કરી આપી અને હમોને કહયું કે અહીંયા ફલેટો બનાવો અને તબાહ અને બેઘર થયેલા મુફલિસ મુસ્લિમોને વસાવો. આ હેતુઓને સામે રાખી અમોએ ૪૮ ફલેટો બનાવ્યા. જેમાં એક ફલેટ દીઠ ખર્ચ બે હજાર પાઉન્ડ થયો છે. જેમાં
લિલ્લાહ રકમ ૩,૭૪૩–૬૪/– હજાર પાઉન્ડ
ઝકાત રકમ પર,૪પ૧–૩૧/– હજાર પાઉન્ડ
સદકાહ રકમ ૭,૯૮૬–પ૯/– હજાર પાઉન્ડ
ફીતરા રકમ ૭ર૯–૦૦/– હજાર પાઉન્ડ
અન્ય રકમ રપપ૦–૯પ/– હજાર પાઉન્ડ
ટોટલ રકમ ૮૭,૪૬૬–૦૦/– હજાર પાઉન્ડ
ફલેટ્સ તૈયાર થઈ ગયા પછી હમોએ અગિયાર મહિનાના એગ્રીમેન્ટ પર ગુજરાતના તોફાનોમાં બેઘર થયેલા લોકોને ફલેટ્સ આપી દીધા. અગિયાર મહિનાનું એગ્રીમેન્ટ કરવાનો મકસદ એ હતો કે એ લોકોને માલિક બનાવી દેવામાં આવશે તો ફલેટ્સ વેચી ચાલ્યા જશે, અને બીજુ કારણ એ હતું કે ગુંડા કિસમના લોકો વસી ના જાય અને સોસાયટી માટે ખતરાનું કારણ ના બને, અને ખરેખર એક વર્ષ એવું જ બન્યું, કેટલાક ખરાબ અને નાલાયક કિસમના લોકોને ફલેટ અપાય ગયા હતા જે સોસાયટીમાં વારંવાર લોકોને હેરાન કરતા રહે છે, તો શું આવા લોકો પાસેથી હમો ફલેટ્સ પાછા લઈ શકીએ કે નહિ ? શરીઅતની રોશનીમાં જવાબ આપશો. લિલ્લાહ રકમથી બનેલા ફલેટ્સ પણ પાછા લઈ શકાય કે નહિ? એનો કોઈ વિકલ્પ જણાવશો.
ગરીબ લોકોને ફલેટો આપવા માટે અમારી નિય્યત એ હતી કે ભાડુ લેવું નહિ, ફકત ૧પ૦/– મેન્ટેનન્સ ચાર્જ લેવો અને થોડા વર્ષ પછી જે ફેમેલી યોગ્ય લાગે તેને એ શર્તે માલિક બનાવી આપવા કે ભવિષ્યમાં સંસ્થાની મંઝૂરી વગર મકાન વેચી શકે નહિ. અમો આ શરતો બંધારણમાં એટલા માટે રાખવા માંગીએ છીએ કે જેથી એ લોકો ગમે ત્યારે અર્ધી કિંમતમાં ગમે તે કૌમના માણસોને મકાનો વેચી આપી ચાલ્યા જાય, અને ગમે તે કોમના માણસોના વસાહતમાં આવવાથી ભવિષ્યમાં કોઈ આફત અને મુસીબત ઉભી ન થાય. તો આવા સંજોગોમાં અમારે શું કરવું ? ઉપરની શર્તો મુજબ ફલેટ્સના માલિક બનાવી આપવા કે નહિ? અને આ રીતે લોકોની ઝકાત અદા થશે કે નહિ? આનો યોગ્ય જવાબ શરીઅતની રોશનીમાં આપશો.
જવાબ :– આપે રજુ કરેલ સવાલ બાબતે ખૂબ ચિંતન મનન છતાં કોઈ એવો વિકલ્પ સમજમાં આવતો નથી કે જેમાં ઝકાત આપનારની ઝકાત, સદકહ અદા થઈ જાય અને જેને આવી રકમથી બનેલ મકાન માલિકી ધોરણે આપવામાં આવે તે વેચી પણ ન શકે અને બીજાને ભાડે પણ ન આપી શકે.
કુર્આન, હદીષ અને ફિકહના મસાઈલથી ફુકહાએ કિરામની સર્વ સંમતિથી એ હુકમ સાબિત છે કે ઝકાત, સદકએ ફિત્રની અદાયગી માટે ઝકાતના માલ અને ઝકાતની મિલકતનું ઝકાતના હકદાર મુસલમાનને એ રીતે માલિકી ધોરણે આપવું ઝરૂરી છે કે તે હકદાર તે માલ અને મિલ્કતમાં પોતાની સમજ અને મરજી મુજબ તેનો ઉપયોગ કરી શકે, જો આ પ્રમાણે પૂર્ણ રૂપથી માલિક બનાવી આપવામાં નહિ આવે તો ઝકાત આપનાર વ્યકિતઓની ઝકાત અદા નહિ થાય અને તેના વ્યવસ્થાપકો સારી ભાવના છતાં ગુનેહગાર ઠરશે.
ઝકાતના હકદાર, લુંટાયેલા, ઉજળેલા ગરીબ મુસ્લિમો સાથે સદરહુ સંસ્થાના વ્યવસ્થાપકોની હિતેચ્છા, સહાનુભૂતિ અને લાગણી પ્રશંસાપાત્ર છે, પરંતુ સંસ્થાના વ્યવસ્થાપકોએ ઝકાતના હકદાર ગરીબને એ વાત અને શર્તનો પાબંદ બનાવવો કે તે આ મિલ્કતને વેચી ન શકે અને પોતે જ રહેઠાણથી લાભ ઉઠાવે એ શર્ત શરઈ દ્રષ્ટિએ દુરૂસ્ત નથી અનેે આ હેતુથી મકાન તેના નામ ઉપર ન કરવું અને તેને ભાડુઆત તરીકે રહેવા દેવું એ જાઈઝ નથી અને એ પ્રમાણે મકાન આપવાથી ઝકાત અને સદકહ અદા નહિ થાય, ઝકાતની સહીહ અદાયગી માટે ઝકાતના હકદારને સંપૂર્ણ રીતે માલિક બનાવવો ઝરૂરી છે.
દરેક મકાનવાળા પાસેથી મેન્ટેનેન્સ ખર્ચના નામથી ૧પ૦ રૂપિયા વસૂલ કરવા એ પણ જાઈઝ નથી, કારણ કે વાર્ષિક ૧૮૦૦ રૂપિયા દરેક મકાન ઉપર ખર્ચ થાય છે કે નહિ? એ એક વિચારવા પાત્ર બાબત છે. અલબત્ત, સંસ્થા જે તે મકાનના રિપેરીંગ ખર્ચમાં જેટલી રકમ ખર્ચ કરે તેટલી રકમ તે મકાનવાળા પાસેથી વસૂલ કરી શકે છે.
લિલ્લાહ જમીન ઉપર જેટલા મકાનો સંસ્થાએ લિલ્લાહ રકમથી બનાવ્યા હોય અને હજુ સુધી તે કોઈને માલિકી ધોરણે ન આપ્યા હોય, સંસ્થા તેટલા મકાનો વકફ તરીકે અથવા અમુક મુદ્દત સુધી મામૂલી કિરાયાથી ગરીબ મુસ્લિમોને રહેવા આપી શકે છે.
નાલાયક માણસો મકાનોના માલિક ન થઈ જાય અને મકાનોનો દુરૂપયોગ ન કરે તે માટે અહિંયા સહીહ, ફિકરમંદ, દીનદાર, નિષ્પક્ષ માણસોની એક સિલેકશન કમીટી બનાવવામાં આવે જે પૂરી તહકીક અને માહિતી મેળવ્યા પછી સંસ્થાના હેતુ મુજબના લોકોને સંસ્થાનો હેતુ સમજાવીને મકાન આપવાની ભલામણ કરે અને તેમના રિપોર્ટને સામે રાખી ઝકાતના મકાનોની ફાળવણી કરવામાં આવે.
Log in or Register to save this content for later.