[૧ર૮] સય્યિદ પત્ની અને પઠાણ પતિની અવલાદને ઝકાત

Chapter : ઝકાત

(Page : 169)

સવાલ :– કોઈ સય્યિદ માણસની દીકરીના નિકાહ કોઈ પઠાણ કુળના છોકરા સાથે થયા હોય અને તે પઠાણ લાપતા થઈ જાય અથવા મૃત્યુ પામે અને તેના બાળકો ગરીબ હોય તો અમે તેના બાળકોને ઝકાત આપી શકીએ કે નહિ? અને જો બાળકોને ઝકાત આપી શકતા હોય તો તેમની માં મઝકૂર ઝકાતની રકમ પોતે વાપરી શકે કે નહિ ?

જવાબ :– મઝકૂર બાળકોને ઝકાત આપવી જાઈઝ છે, કારણ કે નસબ બાપ તરફથી મોઅતબર ગણાય છે અને મઝકૂર બાળકોના બાપ પઠાણ છે, માટે તે પઠાણ ગણાશે, સય્યિદ નહિ ગણાય.

(શામી, કફાઅત–ર)

                પૂછેલી સૂરતમાં યતીમ બાળકો ગરીબ અને ઝકાતના હકદાર છે, એટલે તેમને મળેલ ઝકાત, લિલ્લાહ કે બક્ષિશના માલમાં તેમની માંનો કોઈ હક લાગતો નથી, માટે તેમની માંએ  તેમાંથી પોતાનો ખર્ચ લેવો જાઈઝ નથી.  (શામી ભાગ –ર / ર૭૬–ર૭૮)

Log in or Register to save this content for later.