[૯પ] વેપારના નફાની ઝકાત

Chapter : ઝકાત

(Page : 131-132)

સવાલ :– વેપારીઓએ વેપારના ગ્રોસ પ્રોફિટ ઉપર ઝકાત આપવાની રહેશે કે નેટ પ્રોફિટ ઉપર ઝકાત આપવાની રહેશે એટલે કે નફામાંથી ખર્ચ વગેરે બાદ કરીને બાકી રહેતી રકમ ઉપર ઝકાત આપવાની રહેશે? જો કે ઈન્કમટેક્ષ નેટ પ્રોફિટ ઉપર લેવામાં આવે છે?

જવાબ :– ઝકાત આપનાર વેપારી વ્યકિતનું ઝકાતનું ઈસ્લામી વર્ષ પૂરું થાય ત્યારે વેપારની જેટલી મુદ્દલ મૂડી અને નફો જમા હોય અને વેચાણ પાત્ર માલનો જેટલો સ્ટોક હોય તે બધાના ટોટલમાંથી જે કર્ઝ બીજાઓને આપવાનું હોય તે બાદ કર્યા પછી જેટલી ઝકાતપાત્ર મૂડી અને માલ બાકી રહે તેની ઝકાત આપવી ઝરૂરી છે, પૂરા વર્ષ દરમ્યાન થયેલા ગ્રોસ પ્રોફિટ કે નેટ પ્રોફિટની ઝકાત આપવી ઝરૂરી નથી, કારણ કે વર્ષ દરમ્યાન નફાની ઘણી રકમ પોતાની ઝરૂરતોમાં પણ વપરાય છે. વર્ષ દરમ્યાન થયેલો પૂરો નફો ઝકાત વર્ષના અંત સુધી બાકી રહે એ ઝરૂરી નથી. માટે વર્ષના અંતમાં જેટલો નફો જમા હોય તેટલા જ નફાની ઝકાત આપવી ઝરૂરી છે.                    (શામી ભાગ –ર)

Log in or Register to save this content for later.