Chapter : ઝકાત
(Page : 158 to 160)
સવાલ : – અમારા ગામમાં દવાખાનું ચાલે છે. જે લોકો તદ્ન ગરીબ અને ઝકાતના હકદાર હોય તેઓને મઝકૂર દવાખાનામાં જમા ઝકાતમાંથી પૂરી દવા મફત આપવામાં આવે છે, પરંતુ મોટા ભાગના દવા લેવા આવનાર દર્દીઓ પોતાને ઝકાતના હકદાર બતાવે છે, તો અમારે એ જાણવું છે કે ઝકાતના અસલ હકદાર કોણ છે અને કેવો ગરીબ ઝકાતનો હકદાર ગણાય ? જે માણસ અમારી પાસે ઝકાત લેવા આવે અમારે એની ઓળખ કેવી રીતે કરવી?
જવાબ :– જે મુસલમાન પાસે સાડા સાત તોલા ફકત સોનું અથવા સાડા બાવન તોલ ફકત ચાંદી અથવા સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર ફકત રોકડ રકમ અથવા સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર ફકત વેપારનો માલ અથવા રહેવા ઓઢવા, પહેરવાની અને ખાવા – પીવા તથા ધંધા – કારોબાર માટે ઝરૂરી ચીજ વસ્તુઓથી વધારે અને ફાઝલ મિલકત તથા માલ સામાન (દા.ત. વધારાનું ઘર, ગભાણ, નાના–મોટા વાસણો, કપડાં) જે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર ન હોય અથવા સોનું અને ચાંદી મળીને અથવા સોનું અને રોકડ રકમ મળીને અથવા સોનું અને વેપારનો માલ મળીને અથવા સોનું અને ઝરૂરતથી વધારાનો માલ – સામાન મળીને અથવા સોનું, ચાંદી, રોકડ રકમ, વેપારનો માલ અને જરૂરિયાતથી વધારે માલ આ પાંચેવ પ્રકારનો માલ અથવા પાંચમાંથી કોઈ પણ ચાર પ્રકારનો અથવા પાંચમાંથી કોઈપણ ત્રણ પ્રકારનો અથવા પાંચમાંથી કોઈ પણ બે પ્રકારનો માલ મળીને સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર ન હોય તો આવો મુસલમાન ગરીબ છે અને તે સય્યિદ ન હોય તો તે ઝકાતનો હકદાર છે.
જો ઉપર લખવામાં આવેલી અનેક સૂરતોમાંથી કોઈ એક સૂરત મુજબ કોઈ મુસલમાન પાસે માલદારીના નિસાબપાત્ર એક અથવા અનેક વસ્તુઓ તો છે, પરંતુ તે એટલો દેવાદાર છે કે જો તેની પાસે મવજૂદ માલદારી પાત્ર વસ્તુઓમાંથી તેનું દેવું બાદ કરવામાં આવે તો તેની પાસે ઉપર દર્શાવેલી સૂરતોમાંથી કોઈ સૂરત મુજબ નિસાબના પ્રમાણમાં વસ્તુઓ ફાઝલ ન પડે તો તે પણ ઝકાતનો હકદાર ગરીબ મુસલમાન છે.
જે મુસલમાન પાસે ઉપર લખેલી સૂરતોમાંથી કોઈ એક અથવા અનેક વસ્તુઓ નિસાબના પ્રમાણમાં હોય અને તે દેવા મુકત હોય અથવા તેના શિરે દેવું હોય પરંતુ દેવું બાદ કર્યા પછી પણ તેની પાસે નિસાબના પ્રમાણમાં માલ– સામાન બાકી રહેતો હોય તો તેવો મુસલમાન શરઈ દ્રષ્ટિએ માલદાર છે અને તેના માટે દવા માટે કે અન્ય કોઈ ઝરૂરત માટે ઝકાત અથવા અન્ય કોઈ વાજિબ સદકહ લેવો નાજાઈઝ અને હરામ છે.
સામાન્ય રીતે લોકો ઝકાતના હકદાર ગરીબ મુસલમાનની વિગત જાણતા નથી માટે દવા વગેરેના હેતુથી ઝકાતની રકમથી મદદ ઈચ્છતા મુસલમાનને ઝકાતના હકદાર ગરીબ મુસલમાન ઉપર જણાવેલી વિગત સામે રાખીને તેની આર્થિક સ્થિતિ બાબત પૂછપરછ કરવામાં આવે. જો તે ઉપરની વિગત મુજબ ગરીબ સાબિત થતો હોય તો તેને દવાખાનામાં જમા ઝકાતમાંથી અને અન્ય વાજિબ સદકાતમાંથી મદદ કરવી જાઈઝ છે અને જો ઉકત વિગત મુજબ શરઈ દ્રષ્ટિએ તે ગરીબ સાબિત થતો ન હોય તો તેને ઝકાતમાંથી અને અન્ય વાજિબ સદકાતમાંથી મદદ કરવી જાઈઝ નથી. (શામી : ર)
Log in or Register to save this content for later.