[૧૧૧]સંસ્થાએ ઝકાતની રકમ એક વર્ષથી વધુ જમા ન રાખવી જોઈએ

Chapter : ઝકાત

(Page : 148)

સવાલ :– અમારી યુનિયનમાં દર વર્ષે દસ હજાર રૂપિયા ગરીબ બાળકોને પુસ્તકો – કિતાબો અને હુન્નર ઉદ્યોગ શીખવા માટે ઝકાત રૂપી  આવે છે. યુનિયનનો વાર્ષિક ખર્ચ વધુમાં વધુ સાત હજાર રૂપિયા થાય છે અને બાકીના ત્રણ હજાર રૂપિયા બચત રહે છે તો શું આ બચતની રકમ જમા પડી રહેવાથી ઝકાત આપનારની ઝકાત અદાયગીમાં વાંધો ખરો? કારણ કે દર વર્ષે આવી રીતે ત્રણ હજાર જમા રહે છે અને ઘણા વરસોની બચત જમા છે.

જવાબ :– જે રકમ યુનિયન ઉપર ઝકાત રૂપી આવે છે તે પૂરી રકમ વર્ષ દરમિયાન હકદારોને આપી દેવી ઝરૂરી છે. સવાલમાં લખવા મુજબ બચત કરવાથી ઝકાતની અદાયગીમાં વિલંબ થાય છે જે ઝકાત આપનાર અને યુનિયનના કાર્યકર્તાઓ બધા જ માટે મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે, મઝકૂર કામોમાં ખર્ચ કરવા ઉપરાંત જે રકમ ફાઝલ પડે છે તે રકમ પણ વર્ષ દરમિયાન હકદારોને આપી દેવી ઝરૂરી છે તેને જમા ન રાખી શકાય, નહિ તો જયાં સુધી તે રકમ જમા રહેશે, ત્યાં સુધી માલિકની ઝકાત અદા નહિ થાય અને મોડુ કરવાનો ગુનોહ લાગુ પડશે.  (શામી : ૧૩, ભાગ : ર)

Log in or Register to save this content for later.