Chapter : ઝકાત
(Page : 147)
સવાલ :– ઝકાતની રકમમાંથી કોઈ હકદાર વ્યકિત માટે દારૂલ ઉલૂમ માસિકનું લવાજમ ભરી શકાય કે નહિ ?
જવાબ :– કોઈ વ્યકિતએ પોતાના માલની ઝકાત આપવાની નિય્યતથી મોકલેલી રકમ મદ્રસાના વ્યવસ્થાપકો પાસે મોકલનારની અમાનત છે. તે રકમથી કોઈ હકદાર વ્યકિત માટે દારૂલ ઉલૂમ માસિકનું લવાજમ ભરી ન શકાય, અલબત્ત, કોઈ હકદાર વ્યકિતને તે ઝકાતની રકમ માલિકી ધોરણે આપી દીધા પછી તે હકદાર સ્વેચ્છાએ પોતાને મળેલી રકમ લવાજમ તરીકે આપે તો લઈ શકાય છે. એવી જ રીતે જો રકમ મોકલનાર માલદાર વ્યકિત એ પ્રમાણે કહી અથવા લખી આપે કે આ રકમથી લવાજમ વસૂલ કરી હકદાર વ્યકિતઓને દા.ઉ. માસિક પહોંચાડતા રહેશો તો આ સૂરતમાં પણ મોકલેલ રકમ લવાજમ તરીકે જમા લઈ હકદાર વ્યકિતઓના નામે દા.ઉલૂમ માસિક રવાના કરી શકાય છે. (શામી ભાગ : ર)
Log in or Register to save this content for later.