[૮ર] મર્હૂમાએ છોડેલી રકમમાંથી મર્હૂમહની ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 121)

સવાલ :– મારી વાલિદહ મરહૂમહ ઉપર ઝકાત ફર્ઝ હતી, પરંતુ તેઓ પોતાની હયાતીમાં ઝકાત અદા ન કરી શકયા, અને તેમની વફાત પછી તેમના બેલેન્સમાંથી  મેં તેમની ઝકાત અદા કરી આપી, તો એ યોગ્ય છે કે નહિ? અને જો મારી આકાર્યવાહી યોગ્ય ન હોય તો શરઈ હલ બતાવશો.

જવાબ :– જો વાલિદહએ પોતાની ઝકાત અદા કરવાની વસિય્યત કરી હતી તો તેઓના છોડેલા બેલેન્સમાંથી તમોએ તેમની વસિય્યત મુજબ ઝકાત અદા કરી તે બરાબર અને જાઈઝ કાર્યવાહી છે, પરંતુ જો વાલિદહ મર્હૂમાએ પોતાની બાકી ઝકાત આપવાની વસિય્યત ન કરી હોય તો બીજા ભાઈ – બહેનોને પૂછયા વગર વાલિદાએ છોડેલા બેલેન્સમાંથી તમે તેમની ઝકાત અદા કરી એ કાર્યવાહી યોગ્ય અને દુરૂસ્ત નથી. જો બાકીના વારસદારો તમે અદા કરેલી ઝકાતને મંઝૂર ન રાખે તો તમે અદા કરેલી ઝકાતની રકમ ફકત તમારા વારસા ભાગમાંથી બાદ કરવામાં આવશે અને બીજા વારસદારોને મઝકૂર બેલેન્સમાંથી તેમનો પૂરો વારસા ભાગ આપવામાં આવશે.    (શામી ભાગઃપ/૪૮૪)

Log in or Register to save this content for later.