[૧૦૮] કર્ઝના નામથી આપેલી ઝકાત પરત ન લેવાય

Chapter : ઝકાત

(Page : 146)

સવાલ :– એક ગરીબભાઈ અમારી પાસે સો રૂપિયા કર્ઝ લેવા માટે આવ્યા તો અમોએ કર્ઝ આપતી વખતે ઝકાતની અથવા લિલ્લાહની નિય્યત કરી લીધી અને અમુક સમય બાદ તે ભાઈ રૂપિયા સો પાછા આપવા આવ્યા. તો તે રકમ તે ભાઈ પાસેથી લઈને બીજા કોઈ પણ ગરીબ ભાઈને ઝકાત અથવા લિલ્લાહ તરીકે આપી શકાય કે નહિ ?

જવાબ :– જે રકમ ઝકાત કે લિલ્લાહની નિય્યત કરી કર્ઝના નામથી આપવામાં આવી તે રકમ નિય્યત મુજબ ઝકાત કે લિલ્લાહની ગણાશે અનેે ગરીબ તેનો માલિક બની જશે. માટે તે પરત કરવા આવે તો પાછી લેવી જાઈઝ નથી અનેે તેની પાસેથી પાછી લઈ કોઈ બીજાને આપવી પણ જાઈઝ નથી, કારણકે  તે રકમ ગરીબની માલિકીની બની ચૂકી છે એટલે તે પરત કરે તો તેને કહી દેવામાં આવે કે એ રકમ તમારી માલિકીની છે અને તમોને માલિકી ધોરણે જ આપવામાં આવી હતી.                            (શામી : ૧૧ ભાગ :ર/ પરર, ભાગ : ૪)

Log in or Register to save this content for later.