Chapter : ઝકાત
(Page : 113-114)
સવાલ : – મારી પાસે છ તોલા સોનું છે, જે મારી શાદી વખતે મારા માં–બાપે મારી ઓરતને આપ્યુું હતું અને જેના ઉપર વર્ષ પૂરૂં થઈ ગયેલ છે અને તે સોનું મારી ઓરતના કબ્ઝામાં છે, તો મઝકૂર સોનાની ઝકાત કોના ઉપર વાજિબ થશે ? પતિ પર કે પત્ની પર ? અને ઝકાતના હિસાબમાં સોનાની ખરીદ કિંમત મોઅતબર ગણાશે કે વેચાણ કિંમત મોઅતબર ગણાશે?
જવાબ :– મજકુર સોનું જેની માલિકીનું હોય જો તેની પાસે મઝકૂર સોના સાથે થોડી ચાંદી અથવા થોડો વેપારનો માલ કે થોડી રોકડ રકમ હોય તો સોનાના માલિક ઉપર ઝકાત ફર્ઝ થશે અને મઝકૂર સોનું તમારા બાપે જો તમોને માલિકી ધોરણે આપ્યું હોય અને તમારી ઓરતને માત્ર પહેરવા આપ્યું હોય તો તેની ઝકાત તમારા ઉપર ફર્ઝ ગણાશે અનેે જો તમારી ઓરતને મહર રૂપે અથવા બક્ષિશ રીતે આપવામાં આવ્યું હોય તો તેની ઝકાત તમારી ઓરત ઉપર ફર્ઝ ગણાશે અને જો તમારા બાપે તમારી ઓરતને માત્ર પહેરવા માટે આપ્યું હોય અને તમોને કે તમારી ઓરતને માલિકી ધોરણે ન આપ્યું હોય તો તેની ઝકાત તમારા બાપ ઉપર ફર્ઝ ગણાશે. મઝકૂર સોનું જો તમારી વાલિદહની માલિકીનું હતું તો પણ ઉકત સૂરતો મુજબ જ તેની ઝકાતનો હુકમ લાગુ પડશે. સોનાની ઝકાતનો હિસાબ હાલની વેચાણ બજાર કિંમતથી કરવામાં આવશે. ઝકાતનો હિસાબ તેની ખરીદ કિંમતથી કરવામાં નહિ આવે. (શામી : ર)
Log in or Register to save this content for later.