[૧૦૬] હાફિઝે તરાવીહને હદિયાના રૂપમાં ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 145)

સવાલ :–  ઝકાતની રકમ ઝકાતની નિય્યતથી તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબને હદિયાના રૂપમાં આપી શકાય કે નહિ?

જવાબ :– જો તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબની હાલત એ પ્રમાણે હોય કે જો તેઓને હદિયાના નામથી ઝકાત આપવામાં ન આવે તો પણ તરાવીહ પઢાવવાનું ચાલું જ રાખે તો મઝકૂર સૂરતથી તેઓને ઝકાત આપી શકાય છે અને જો આ પ્રમાણે ઝકાત ન આપવામાં આવે તો તરાવીહ પઢાવવાનું બંધ કરી દે તો મઝકૂર સૂરતથી ઝકાત આપવી જાઈઝ નથી, કારણ કે પગાર પેટે ઝકાત આપ્યા સમાન થઈ જશે.                  (દુર્રે મુખ્તાર શામી–ર/ ૭૦)

Log in or Register to save this content for later.