[૭૯] વસિય્યત માટે મૂકેલી અનામત રકમની ઝકાત

Chapter : ઝકાત

(Page : 112-113)

સવાલઃ – ઉમર નામના માણસે ઝૈદ નામના માણસને પંદર હજાર રૂપિયા એમ કહીને આપ્યા કે મારા મરણ પછી હિફઝ કલાસના મુદર્રિસને આ રકમમાંથી પગાર આપવામાં આવે અને જયારે આ રકમ પૂરી થઈ જાય તો મારી જિમ્મેદારી બાકી નહિ રહે. તો પૂછવાનું એ કે ઉમરનું મરણ થતાં સુધી, ઉમરે આ રકમની ઝકાત આપવી પડશે કે નહિ.

જવાબ : – મઝકૂર રકમ ઉમરે ઝૈદ પાસે મૂકેલી અનામત ગણાશે અને ઉમરના મૃત્યુ સુધી તે રકમ ઉંમરની માલિકીમાં બાકી ગણાશે. માટે જો ઉમર શરઈ દ્રષ્ટિએ માલદાર હોય તો તેણે પોતાની હયાતીમાં આ રકમની ઝકાત અદા કરવી પડશે અને ઉમરના મરણ પછી આ રકમમાંથી હિફઝ કલાસના મુદર્રિસને પગાર આપવાની વાત એ ઉમરની વસિય્યત ગણાશે, માટે તેના મૃત્યુ પછી આ રકમ બાબત વસિય્યતના હુકમો લાગુ પડશે.                             (શામી : ર/પ)

Log in or Register to save this content for later.