[૧રર] મક્કહ કે મદીનહમાં સતત પંદર દિવસ રહેનાર મુકીમ કે મુસાફિર?

Chapter : નમાઝ

(Page : 163-164)

સવાલ :– હજ પઢવા જનાર માણસને મક્કહ મુકર્રમહ કે મદીના મુનવ્વરહમાં કેટલા દિવસ રહેવું તે અગાઉથી નક્કી હોતું નથી. મક્કા ગયા પછી અનુકુળતા પ્રમાણે મદીના જાય છે અને ત્યાં પણ કેટલા દિવસ રહેવું એ નક્કી હોતું નથી. એ જ રીતે અનુકુળતાએ બીજી મુતબર્રક જગ્યાઓએ જવાનું હોય છે. તો અગાઉથી નક્કી નથી છતાં મક્કામાં કે મદીનામાં રહેતા સતત પંદર દિવસ થઈ જાય તો તે માણસ મુકીમ ગણાય કે મુસાફિર ? તેણે આખા સફર દરમિયાન એકલા નમાઝ પઢવાની થાય તો કસર નમાઝ પઢવી કે પૂરી ?

જવાબ :– મજકૂર માણસ મુસાફિર ગણાશે, કારણ કે એણે સતત પંદર દિવસ કોઈ એક જગ્યાએ રહેવાની પહેલેથી નિય્યત કરી નથી. મુસાફિર જ્યારે કોઈ રહેઠાણપાત્ર જગ્યાએ સતત પંદર દિવસ અથવા તેથી વધુ રહેવાની નિય્યત કરીને રહે ત્યારે મુકીમ બને છે અને આવી નિય્યત વગર કોઈ જગ્યાએ વર્ષો સુધી રહે તો પણ મુસાફિર જ ગણાશે. માટે એણે એકલા નમાઝ પઢવાની સૂરતમાં કસર પઢવી પડશે.

(દુર્રે મુખ્તાર શામી સાથે ભા. ૧)

Log in or Register to save this content for later.