Chapter : ઇસ્લામી ઝબાઇહ
(Page : 572-573)
સવાલ :– અહીં અમારા ગામમાં જાહિલ કસાઈનું કહેવું છે કે મુખન્નસ (હિજડા) બકરાને ખરીદી ના શકાય.અને તેને કાપી અમો ગોશ્ત વહેંચી શકીએ નહિ. જો તમે પણ ઘરે કાપશો તો તમને ઘરમાં બહુ જ મોટું નુકસાન થશે અને બકરાને તમે નહિ કાપો તો તમે માલામાલ થઈ જશો, તો શરીઅતની રૂએ આ માન્યતા કેવી છે અને કસાઈ લોકો કહે છે કે જો તમે આ બકરાને ન પાળી શકતા હોય તો તેને બહાર જંગલમાં એકલો મૂકી આવો. હવે અમે મુંઝવણમાં પડયા છે હમારે શું કરવું ?
જવાબ :– મજકૂર બકરાને ઝબહ કરવાથી નુકસાન થવાની અને ન ઝબહ કરવાથી માલદાર થવાની માન્યતા તદ્દન ગલત અને પાયાહીન છે અને જાનવરોને જંગલમાં છોડી મૂકવું એ પણ દુરસ્ત નથી અને જહાલતયુગની રસમ છે, માટે મજકૂર બકરાના મટનનો ઉપયોગ કરવો જોઈએ.
Log in or Register to save this content for later.