Chapter : ઇસ્લામી ઝબાઇહ
(Page : 557-558)
સવાલ :– જાનવર જેવી રીતે બકરા, મરઘી તેમજ તે જાનવર જે ઈસ્લામમાં હલાલ છે તેવા મુરદા જાનવર ખાય શકાતા નથી, પરંતુ દરિયાની માછલી મરેલી ખાય શકાય છે? આ વિષે સંપુર્ણ ખુલાસો આપશો, કારણ કે મચ્છી પકડનાર દરિયામાં જાળ નાંખી જે મચ્છી પકડે છે તે દરેક મચ્છી જીવતી પકડાતી નથી, જીવતી મરેલી બન્નવ પ્રકારની હોય છે, તો મચ્છી મુરદાર હોવા છતાં પણ કેમ ખાય શકાય છે.
જવાબઃ– ઝબહ કર્યા વગર મરેલી માછલીના હલાલ હોવાનું મુખ્ય કારણ તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નું ફરમાન છે કે જે અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) આ પ્રમાણે નકલ ફરમાવે છે કે અમારા માટે બે મુરદાર જાનવરો અને બે લોહી હલાલ કરાવામાં આવ્યા છે, બે મુરદાર જાનવર માછલી અને તીડ છે, અને બે લોહી કલેજુ અને તીલ્લી છે, (સુનને ઈબ્ને માજહ)
તહકીકકાર ઉલમાએ કિરામ (રહ.) માછલીના ઝબહ વગર હલાલ હોવા વિષે અને અન્ય જાનવરને શરઈ ઝબહની શર્તે હલાલ હોવા વિષે તફાવતની હિકમત આ પ્રમાણે બતાવે છે, માછલી સિવાય અન્ય જાનવરોમાં વહેતુ લોહી હોય છે, જે નાપાક અને હરામ છે, જ્યારે તે વગર ઝબહ મરે છે તો વહેતુ નાપાક લોહી તેના ગોશ્ત સાથે ભળી જઈ ગોશ્તને નાપાક અને હરામ કરી નાખે છે, જ્યારે શરીઅત મુજબ ઝબહ કરવાથી તે નાપાક લોહી શરીરથી બહાર નિકળી જાય છે એટલે ગોશ્ત નાપાક અને હરામ બનતો નથી અને માછલીના શરીરના તત્વોમાં મુખ્ય તત્વ પાણી હોય છે અને પાણી કુદરતી રીતે પોતે પાક અને નાપાકીને પાક કરવાનું મુખ્ય સાધન છે, માટે વિના ઝબહે માછલીના મરવાથી કોઈ નાપાક વસ્તુ તેના ગોશ્તમાં ભળતી નથી, એટલે ઝબહ કર્યા વગર માછલી મુત્યુ પામે તો પણ તે પાક અને હલાલ રહે છે. (અલ મસાલિહુલ અકલિય્યહ)
Log in or Register to save this content for later.