[૪૭૯] અકીકહનો ગોશ્ત વલીમહની દઅવતમાં ખવડાવી શકાય છે

Chapter : અકીકહ

(Page : 540-541)

સવાલ :– અકીકહનો ગોશ્ત વલીમહની દઅવતમાં ઉપયોગ કરી શકાય કે નહિ અને દઅવત ખાનાર કોઈ દોસ્ત અથવા રિશ્તેદાર દુલ્હાને બક્ષિશ રૂપે પૈસા અથવા કપડાં અથવા વાસણો આપે તો અકીકહ દુરસ્ત ગણાશે કે નહિં ?

જવાબ :– બેહતર તો એ છે કે અકીકહ અને વલીમહ બન્‍ન માટે બે જાનવર અલગ અલગ ઝબહ કરવામાં આવે. બાકી અકીકહના જાનવરનો ગોશ્ત વલીમહની દઅવતમાં ખવડાવવો જાઈઝ છે. નાજાઈઝ કે મકરૂહ નથી. અને દુલ્હાને કોઈ વસ્તુ હદિયા રૂપે આપવાથી અકીકહની અદાયગીમાં કોઈ વાંધો નહિ આવે, પરંતુ રિવાજી હદિયાની લેવડ–દેવડથી બચવું જોઈએ. કારણ કે એમાં ઘણી ખરાબીઓ પેદા થાય છે.             (શામી પ/ર૦૭ ઈસ્લાહૂર્રૂસૂમ)

Log in or Register to save this content for later.