Chapter : અકીકહ
(Page : 539)
સવાલ :– કોઈ માણસ અકીકહમાં રોકડ રકમ આપવા ચાહે તો આપી શકે છે કે નહિ ? તેમજ એ રકમ અગર આપી શકે તો કોને આપવી જોઈએ ?
જવાબ :– અકીકહની સુન્નત અદા કરવા માટે આ જ તરીકો છે કે કોઈ કુરબાની લાયક જાનવર અકીકહની નિય્યતથી ઝબહ કરવામાં આવે. જો જાનવર ઝબહ કરવાના બદલામાં રોકડ રકમ કે બીજી કોઈ વસ્તુ ગરીબોને આપશે તો સદકહનો સવાબ તો મળશે પણ અકીકહની સુન્નત અદા નહિ થાય.
Log in or Register to save this content for later.