[૪૭૬] મોટા જાનવરમાં અકીકહનો ભાગ

Chapter : અકીકહ

(Page : 538-539)

સવાલ :– કુરબાનીના દિવસો સિવાય બીજા દિવસોમાં મોટા જાનવરમાં કોઈ અકીકો કરે તો અકીકો થશે કે નહિ? અને બીજા દિવસોમાં અકીકા માટે જાનવરમાં સાત ભાગ અકીકાના રાખી શકાય કે નહિ?

જવાબ :– કુરબાનીના દિવસો સિવાય બીજા દિવસોમાં પણ મોટા જાનવરમાં અકીકો કરી શકાય છે. અકીકાના સાત ભાગો રાખવા દુરસ્ત છે. અકીકામાં મોટા જાનવરનું દુરસ્ત હોવું અથવા સાત ભાગો રાખવું જાઈઝ હોવું કુરબાનીના દિવસો સાથે ખાસ નથી.

                પરંતુ એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે મોટા જાનવરમાં અમૂક ભાગ અકીકાના રાખે અને બીજા ભાગ કોઈને ગોશ્ત તરીકે વેચી આપે તો અકીકો નહિ થાય. બધા જ ભાગોમાં અકીકાની નિય્યત કરે અથવા બાકીના ભાગોમાં બીજી કોઈ એવી ઈબાદતની નિય્યત કરે જેમાં જાનવર ઝબહ કરવામાં આવતું હોય.           (શામી : પ/રર૯)

Log in or Register to save this content for later.