[૪૭૩] અકીકાના બે બકરા અલગ અલગ દિવસોમાં

Chapter : અકીકહ

(Page : 536-537)

સવાલ :– એક માણસે તેના છોકરાનો અકીકો બે બકરા જેમાંથી એક બકરો મહેમાનો આવવા પર કે મહેમાનો બોલાવી મહેમાની કરી. બીજો બકરો દસ દિવસ પછી મહેમાનો આવવા પર અથવા મહેમાનો બોલાવી મહેમાની કરી તો એ અકીકો થશે ? અને કોઈ ગરીબ માણસ એક આ સાલ અને બીજો બીજા સાલ કરે તો થશે કે કેમ ?

જવાબ :– છોકરાના અકીકહ માટે મુસ્તહબ તરીકો તો આ છે કે જો બે કુરબાની લાયક બકરા ઝબહ કરવાની શકિત હોય તો બંને બકરા છોકરાની વિલાદતના સાતમા અથવા ચૌદમા અથવા એકવીસમાં દિવસે એક સાથે ઝબહ કરવામાં આવે. જો કોઈ કારણસર બંને બકરા અલગ અલગ દિવસે થોડા કે વધુ અંતરથી ઝબહ કરવામાં આવશે તો પણ અકીકો અદા થઈ જશે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી હઝરત હસન અને હુસેન (રદિ.)ના અકીકહ વિશે મિશ્કાત શરીફમાં બે હદીસો નકલ કરવામાં આવી છે. અબૂ દાવૂદ શરીફની હદીસમાં છે કે આપ (સ.અ.વ.)એ હસન અને હુસેન (રદિ.) તરફથી એક એક મેંઢાનો અકીકો ફરમાવ્યો અને નસાઈ શરીફની હદીસમાં છે કે દરેક તરફથી બે બે મેંઢાનો અકીકો ફરમાવ્યો.                (મિશ્કાત શરીફ)

                આ બંને હદીસોનો વિરોધાભાસ દૂર કરતાં મુલ્લા અલી કારી (રહ.) લખે છે કે શકય છે વિલાદતના દિવસે એક એક મેંઢો ઝબહ કર્યો અને સાતમા દિવસે બીજો એક એક મેંઢો ઝબહ કર્યો.  આમ કુલ બે બે મેંઢા ઝબહ થયા હોય.                            (મિરકાત–૮/૧પ૮)

Log in or Register to save this content for later.