Chapter : અકીકહ
(Page : 531)
સવાલઃ– પુરું જાનવર તે પૈકી બે ભાગ અશફાકના અકીકાના અને પાંચ ભાગ સદકાના તો આ બાબત ખુલાસો આપશો.
જવાબઃ– અકીકાના જાનવરમાં બે ભાગની અકીકાની નિય્યત કરવી અને બીજા ભાગમાં સદકાની નિય્યત કરવી દુરસ્ત નથી. જાઈઝ સૂરત આ છે કે પૂરા જાનવરમાં અકીકાની નિય્યત કરવામાં આવે અને પુરૂં જાનવર અકીકાની નિય્યતથી ઝબહ કરવામાં આવે, અને પુરૂં જાનવર અકીકાની નિય્યતથી ઝબહ કર્યા પછી જેટલા ભાગોના ગોશ્તનો સદકો કરવો હોય ગરીબોને તેટલા ભાગોના ગોશ્તનો સદકો કરી આપવામાં આવે તો અકીકો પણ દુરસ્ત થઈ જશે અને સદકાનો સવાબ પણ મળી જશે. (શામી ભાઃપ)
Log in or Register to save this content for later.