Chapter : તહારત
(Page : 55)
સવાલ :– હાલમાં કોલગેટ–પ્રોમીસ, ચોઈસ તથા બીજા અન્ય ટૂથપેસ્ટમાં મૃત જાનવરોના હાડકાંનો ઉપયોગ થાય છે, જે મારી જાણ મુજબ સત્ય છે, તો શરઈ દ્રષ્ટિએ આવાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય કે નહિં ?
જવાબ :– પ્રથમ એક મસ્અલો સમજી લેવો જોઈએ કે મૃત જાનવર અનેક પ્રકારના હોય છે.
(૧) હલાલ જાનવર જેને શરઈ તરીકા પર ઝબહ કરવામાં આવ્યું હોય, આવા મૃત જાનવરનાં હાડકાં પાક અને હલાલ છે, તેના મિશ્રણવાળી ટૂથપેસ્ટ વાપરવી જાઈઝ છે.
(ર) હલાલ જાનવર જેનું મૃત્યુ શરઈ તરીકા મુજબ ઝબહ કરવાથી ન થયું હોય.
(૩) હરામ જાનવર જેનું મૃત્યુ ગમે તે રીતે થયું હોય, આ બન્ને પ્રકારનાં હાડકાં પાક છે, પણ હરામ છે, આવા હાડકાંના મિશ્રણવાળું ટૂથપેસ્ટ પાક તો ગણાશે, પરંતુ તેનો મોઢામાં ઉપયોગ કરવો એહતિયાત વિરુધ્ધ હોવાથી દુરુસ્ત નથી.
(૪) ભૂંડ ગમે તે રીતે મૃત્યુ પામ્યું હોય તેનાં હાડકાં નાપાક અને હરામ છે માટે તેના મિશ્રણવાળા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જાઈઝ નથી. એ વાત નિશ્ચિત છે કે ટૂથપેસ્ટમાં મિશ્રિત હાડકાંનો પ્રકાર માલુમ કરવો મુશ્કેલ છે. માટે જો ટૂથપેસ્ટમાં હાડકાંનું મિશ્રણ નિશ્ચિત હોય તો તેનો ઉપયોગ કરવાથી બચવામાં જ સલામતી અને એહતિયાત છે.
(શામી ૧૩૮, ભા. ૧)
Log in or Register to save this content for later.