Chapter : કુરબાની
(Page : 490-491)
સવાલ :– વિદેશથી એક ભાઈએ એક જાનવર ખરીદ કરીને તેની કુરબાની કરવાની ઝિમ્મેદારી અમારા ગામના એક ભાઈને સોંપેલી છે. તે ભાઈ આ ઝિમ્મેદારી બીજા ગામના એક ભાઈને સુપરદ કરવા માંગે છે કે ત્યાં કુરબાની થતી નથી માટે ત્યાં કુરબાની ખરીદી ઝબહ કરવાની કોઈ યોગ્ય માણસને ઝિમ્મેદારી સોંપવામાં આવે તો વિદેશી વ્યકિતએ જે ગામના ભાઈને ઝિમ્મેદારી સોંપી છે તે ભાઈ માટે બીજા ગામમાં બીજા ભાઈને ઝિમ્મેદારી સોંપવા માટે અસલ વિદેશી માલિકથી ઈજાઝત લેવી જરૂરી છે કે નહિ ? કારણ કે કદાચ પહેલા ગામમાં જાનવર સસ્તુ મળે અને બીજા ગામમાં જાનવર ખરીદવા વધુ રકમ ખર્ચ કરવી પડે આવી શકયતા છે, હજુ જાનવર ખરીદયું નથી અને પહેલો માણસ પોતે જાનવર ખરીદીને બીજા ગામમાં ઝબહ કરવા મોકલાવે તો ચાલે કે નહિ ?
જવાબ :– જે માણસે કોઈને પોતાની કુરબાનીનું જાનવર ખરીદવાનો અને કુરબાની કરવાનો ઝિમ્મેદાર બનાવ્યો હોય તો તે માણસ અસલ પહેલા માણસની રજા વગર જાનવર ખરીદવાની ઝિમ્મેદારી કોઈ ત્રીજા માણસને સુપરદ ન કરી શકે. અલબત્ત, જો બીજો માણસ જેને પહેલા માણસે ઝિમ્મેદાર બનાવ્યો છે તે પોતે જાનવર ખરીદીને કોઈ ત્રીજાને કુરબાનીના દિવસોમાં તે જાનવર ફકત ઝબહ કરવાનો ઝિમ્મેદાર બનાવે અને મુસ્તહબ તરીકા મુજબ ગોશ્ત વહેંચી આપવાનો ઝિમ્મેદાર બનાવે તો એ જાઈઝ છે. (ફતાવા ખાનિયહ કમ હિંદિય્યહ – ૩/૩પપ)
Log in or Register to save this content for later.