Chapter : નમાઝ
(Page : 157-158)
સવાલ :–(૪) એક ઓરતે પાકીની હાલતમાં ૪૮ માઈલ અથવા તેથી દૂરના સ્થળે આવેલી આબાદીમાં જવાની નિય્યતથી સફર શરૂ કર્યો અને નિશ્ચિત આબાદીમાં પહોંચતા પહેલાં સફર દરમ્યાન તેણીને હૈઝ શરૂ થઈ ગયું તો આવી ઓરત મુસાફિર ગણાશે કે નહિ? અને સફર લાંબો હોવાથી સફર દરમ્યાન જ પાક થઈ ગઈ તો તેણી પાક થયા પછી પૂરી નમાઝ પઢશે કે કસર નમાઝ પઢશે?
જવાબઃ–(૪) મજકૂર ઓરત શરઈ દષ્ટિએ મુસાફિર ગણાશે અને સફર દરમ્યાન પાક થઈ જાય તો તેણીએ સફરમાં કસર નમાઝ પઢવાની રહેશે ચાહે નિશ્ચિત સ્થળે પહોંચવા માટે આગળનો સફર ૪૮ માઈલનો હોય કે પછી તેથી ઓછા અંતરનો હોય. (દૂર્ર – શામી :૧/પ૩પ)
Log in or Register to save this content for later.