Chapter : તહારત
(Page : 54)
સવાલ :– વુઝૂમાં મોઢું ધોયા બાદ તરત જ દાઢીનો ખિલાલ કરવો જોઈએ કે સર–ગરદનના મસહ બાદ દાઢીનો ખિલાલ કરવો ? મસ્નૂન તરીકો તેમજ તરતીબ શું છે ?
જવાબ :– દાઢીનો ખિલાલ ત્રણ વાર મોઢું ધોયા બાદ તરત કરવો મુસ્તહબ છે. ખિલાલનો મસ્નૂન તરીકો આ છે કે જમણા હાથની હથેળી અને આંગળીઓ ઉપર પાણી લઈ તે આંગળીઓ દાઢીના બાલોના નીચેથી દાખલ કરી ઉપર નીચલા હોઠ તરફ એ પ્રમાણે કાઢવામાં આવે કે હથેળી અને આંગળીઓનો અંદરવાળો ભાગ બહાર તરફ રહે અને બાલવાળો ભાગ વુઝૂ કરનારની ગરદન તરફ રહે. (દુ. મુખ્તાર શામી ભા. ૧/૭૯)
Log in or Register to save this content for later.