[૩૮૧] ચર્મે કુરબાનીની કિંમત બેન્કમાં જમા કરવી

Chapter : કુરબાની

(Page : 439-440)

સવાલ :– અમારા ગામની કુરબાનીઓના ચામડાં ભેગા કરી વેચવામાં આવે છે, ચામડાઓની આવેલ રકમ હકદારોમાં વહેંચવા મસ્જિદની કમિટીને વકીલ બનાવી રકમ સુપરત કરવામાં આવે છે, આ રકમ બેન્કમાં મૂકવામાં આવે છે અને જેમ જેમ હકદારો આવે તેમ તેમ મજકૂર રકમ આપવામાં આવે છે. તો બેન્કનું વ્યાજ કુરબાનીના ચામડાંની રકમના હકદારોને આપવું અથવા મસ્જિદની જમા રકમના વ્યાજ સાથે ભેગું કરી મસ્અલહ મુજબ ઉપયોગમાં લેવું જાઈઝ છે કે નહિ ? કુરબાનીના ચામડાંઓ ભેગા કરવા, તેને વેચવા વગેરેમાં થતો ખર્ચ કુરબાનીના ચામડાંની આવકમાંથી બાદ કરી બાકીની રકમ હકદારોને વહેંચી શકાય કે કેમ ?

જવાબ :– મસ્જિદ કમિટીએ ચામડાંઓની રકમ બેન્કમાં ન જમા કરવી જોઈએ, બલ્કે મજકૂર રકમ ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમોને સદકો કરી આપવી જોઈએ, ચામડાંઓની રકમ જમા રાખવી જરૂરી નથી અને વિના મજબૂરી બેન્કના વ્યાજયુકત ખાતામાં રકમ જમા કરાવવી  જાઈઝ નથી.

                અત્યાર સુધી ચામડાઓની જમા રહેલી રકમનું વ્યાજ મસ્જિદની જમા રકમના વ્યાજ સાથે ભેગું કરી વાપરવું જરૂરી નથી અને તેની સાથે જમા કરવું પણ ન જોઈએ, બલ્કે મજકૂર વ્યાજની રકમ ચામડાંની રકમના હકદાર ગરીબોને સવાબની નિય્યત વગર આપી દેવી જાઈએ.

                ચામડાઓને ભેગા કરવા અને વેચવા વગેરેનો ખર્ચ ચામડાંની કિંમતમાંથી વસૂલ કરવો દુરસ્ત નથી. મજકૂર ખર્ચ કુરબાનીઓના માલિકો પાસેથી વસૂલ કરવો જોઈએ અને ચામડાઓની પૂરી રકમ હકદાર ગરીબોને વહેંચી આપવી જોઈએ.                 (શામી ભા.પ)

Log in or Register to save this content for later.