Chapter : તહારત
(Page : 53)
સવાલ :– હું શયતાની હરકતના કારણે વસાવિસમાં ઘેરાયેલો રહું છું, વુઝૂ કરવામાં અને નહાવામાં વધુ સમય લાગે છે, તેમજ નમાઝમાં પણ ઘણી વખત કોલ તોડવો પડે છે અને નમાઝ પણ દોહરાવવી પડે છે, આ બાબત મારે શું કરવું જોઈએ ? (એસ. એમ. ચોક્સી, સિતપોણ, જિ. ભરૂચ)
જવાબ :– વુઝૂ અને ગુસલ કરતી વખતે શયતાની વસવસાઓના કારણે શરીર અને વુઝૂના અંગો ત્રણથી વધુ વાર ન ધોવા જોઈએ.
હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.)ના પૌત્ર કાસિમ બિન મુહમ્મદ (રદિ.)થી એક માણસે પૂછયું કે મને નમાઝમાં વહેમ થયા કરે છે અને આવું મને વારંવાર થયા કરે છે, તો કાસિમ (રદિ.)એ તેને જવાબ આપ્યો કે (આવું થાય ત્યારે) પોતાની નમાઝ રાબેતા મુજબ ચાલુ રાખો અને નમાઝ પઢતા રહો, આવા વસવસાઓ તમારા નમાઝથી ફારિગ થતાં સુધી ચાલુ જ રહેશે, (આ સૂરતમાં) તમે નમાઝથી ફારિગ થઈને આવું કહી આપજો કે હા, મેં નમાઝ પૂરી નથી પઢી. (પણ હું તારી વાત નહિં માનું અને તારા કહેવા મુજબ નમાઝ પૂરી નહિં પઢું). (મિર્કાત ૧/૧૪પ)
માટે માત્ર વસવસાઓના કારણે નમાઝનો કોલ ન તોડવો જોઈએ અને નમાઝ પણ ન દોહરાવવી જોઈએ, બલ્કે હઝ. કાસિમ (રદિ.)ના બતાવેલા મજકૂર તરીકા મુજબ શયતાનને તેના વસવસાઓના પ્રયત્નમાં નિષ્ફળ બનાવવો જોઈએ અને શયતાની વસાવિસ તરફ ધ્યાન ન આપવું જોઈએ.
Log in or Register to save this content for later.