Chapter : નમાઝ
(Page : 153-154)
સવાલ :– અહિં જુમ્અહના દિવસે ફજરમાં મોટા ભાગે દરેક મસ્જિદમાં સુન્નત મુજબ સૂરએ સજદહ પઢે છે તો ઘણીવાર ઘણાં ભાઈઓને એવું બને છે કે પહેલી રકઅત તો જમાઅત સાથે ભાગ આવે છે, પણ સજદહ થઈ જાય છે તો નમાઝ પઢનારે શું કરવું ? ઈમામ સાથે સલામ ફેરવી લે તો નમાઝ થઈ જશે ?
જવાબ :– ચાહે મજકૂર મુકતદીએ ઈમામ સાથે નમાઝમાં શરીક થતાં પહેલાં સજદાની આયત ઈમામથી સાંભળી હોય કે ન સાંભળી હોય, જ્યારે સજદાવાળી રકઅતમાં જ ઈમામ સાથે શરીક થઈ ગયો હોય તો એ રકઅત મળી જવાથી સજદહ પણ અદા થઈ જશે. આવા મુકતદીએ નમાઝમાં કે નમાઝ પછી પોતે અલગ સજદએ તિલાવત કરવો ઝરૂરી નથી. (શામી, ભાગ–૧/પ૧૮)
Log in or Register to save this content for later.