[૩ર૭] કુરબાનીની નિય્યતે પાળેલા બકરાને વેચી મોટા જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 395-396)

સવાલ :– એક ભાઈએ પેદાઈશથી એક બકરાને કુરબાની નિય્યતથી પોતાને ઘરે ઉછેર કર્યો, બકરો બે વર્ષનો થયો એ ભાઈએ બકરાની કિંમત સારી આવવાથી એને વેચીને મોટું જાનવર લઈ કુરબાની કરી તો આ પ્રમાણે વેચી કુરબાની કરવી જાઈઝ છે કે નહિ ?

જવાબ :– ગરીબ અને માલદારના ઘર ઉપર જન્મેલ બકરો જયારે કુરબાની લાયક થઈ જાય તો તેને વેચીને તેની કિંમતથી મોટું જાનવર ખરીદવું જાઈઝ છે, ચાહે તે બકરો કુરબાનીની નિય્યતથી ઉછેરવામાં આવ્યો હોય. અલબત્ત, જો મજકૂર બકરાની કુરબાનીની મન્‍નત માની હોય તો તેને વેચવો જાઈઝ નથી. તેજ બકરાની કુરબાની કરી મન્‍નત પૂરી કરવી જરૂર છે ચાહે તે બકરાની કિંમતથી મોટું જાનવર ખરીદ કરી કુરબાની કરવાની નિય્યત હોય તો પણ વેચવો જાઈઝ નથી. (શામી ભા. પ/બદાઈઅ ભા.૪)

Log in or Register to save this content for later.