Chapter : તહારત
(Page : 52)
સવાલ :– ઘણાં લોકો વુઝૂ કરતી વખતે માથા ઉપર ટોપી મુકેલી રાખીને વુઝૂ કરે છે અને માથાનો મસહ કરતી વખતે ડાબા હાથની આંગળીઓથી ટોપી પકડીને મસહ કરે છે, આ બાબત એક ભાઈનું કહેવું છે કે બેહિશ્તી ઝેવર અને તાલીમુલ ઈસ્લામમાં લખવા મુજબ અને હઝ. મુફતી સય્યિદ અ. રહીમ લાજપૂરી સાહેબ (રહ.)ના ફતવા મુજબ હથેળી અને ત્રણ આંગળીઓ માથા ઉપર ફેરવવાથી માથાનો મસહ થાય છે અને મસહ કરતી વખતે ટોપી આંગળીઓથી પકડી રાખવાથી આંગળીઓ માથા ઉપર ફરતી નથી એટલે માથાનો મસહ પૂરો થતો નથી, હાલાં કે ચોથાઈ માથાનો મસહ ફર્ઝ છે, જે અદા નહિં થાય તો વુઝૂ નહિ થાય, તો પછી નમાઝ કેવી રીતે સહીહ અદા થશે.
જવાબ :– વુઝૂમાં કમ થી કમ માથાના ચોથા ભાગનો મસહ કરવો ફર્ઝ છે, તેથી ઓછો મસહ કરવાથી વુઝૂ થતું નથી અને તેવા ઓછા મસહવાળા વુઝૂથી પઢેલી નમાઝો વગર વુઝૂએ પઢેલી ગણાશે, માટે જો આંગળીઓથી ટોપી પકડીને મસહ કરવાથી ફર્ઝના પ્રમાણમાં મસહ ન થતો હોય તો માથા ઉપર ટોપી રહેવા દઈને અને આંગળીઓથી ટોપી પકડીને મસહ કરવો દુરૂસ્ત નથી અને પૂરા માથાનો મસહ કરવો સુન્નત છે અને ટોપી માથા ઉપર મૂકેલી રાખીને તેને અમુક આંગળીઓથી પકડીને જ્યારે મસહ માટે એક જ વાર માથા ઉપર હાથ ફેરવવામાં આવશે તો પૂરા માથાનો મસહ નહિં થાય અને સુન્નત મસહ છૂટી જશે અને સુન્નતને છોડવાની આદત એ મલામત પાત્ર, ગુનાહનો સબબ અને મકરૂહ છે. (દૂર્રે મુખ્તાર, શામી ભા.૧/૬૭/૭૧/૮ર)
Log in or Register to save this content for later.