Chapter : નમાઝ
(Page : 151-152-153)
સવાલ :– રેડિયો ઉપર કલામે પાકની તિલાવત સાંભળવાથી સવાબ મળે કે નહિં ? અને રેડિયો ઉપર સજદહની આયત સાંભળવાથી સજદએ તિલાવત વાજિબ થાય કે નહિં અને ટેપરેકોર્ડ ઉપર તિલાવત અને સજદહની આયત સાંભળવાનો શું હુકમ છે ?
જવાબ :– કુર્આન મજીદની તિલાવત કરવામાં અને સાંભળવામાં જે અદબોની રિઆયત પઢનાર અને સાંભળનારે કરવી જોઈએ, જો તે અદબોની રિઆયત સાથે રેડિયો ઉપર કુર્આન શરીફ પઢવા અને સાંભળવામાં આવે તો જાઈઝ છે અને તે પઢવા અને સાંભળવા ઉપર સવાબ પણ મળશે, પરંતુ જો તિલાવત કરવાના અને સાંભળવાના આદાબની રિઆયત ન કરવામાં આવે, જેમ કે ખેલકૂદ અથવા શોર બકોરની જગ્યાઓમાં રેડિયો ઉપર તિલાવતનો પ્રોગ્રામ ચાલુ કરી પોતાના કામ ધંધામાં મશગૂલ થઈ જાય અને તિલાવત સાંભળવા તરફ કોઈ ધ્યાન ન આપવામાં આવે, બલ્કે ચાલતાં ફરતાં કે પોતાનું કામ કરતાં કુર્આન પાકનો અવાજ કાનમાં પડતી રહે, તો આ પ્રમાણે તિલાવતની મજલિસના અને કુર્આન શરીફ સાંભળવાના અદબોની રિઆયત વગર રેડિયો ઉપર કિરાઅત ચાલુ કરવી અને સાંભળવી જાઈઝ નથી. બલ્કે બેઅદબીના કારણે સવાબના બદલે ઉલટો ગુનાહ લાગુ પડશે અને એ જ પ્રમાણે ટેપરેકોર્ડ ઉપર કિરાઅત ચાલુ કરવાનો અને સાંભળવાનો હુકમ છે.
ખુલાસો આ કે જો કુર્આન સાંભળવાના અદબની રિઆયત કરીને એટલે કે કુર્આન સાંભળવાના હેતુથી અદબ સાથે ચૂપચાપ બેસીને પૂરા ધ્યાનથી સાંભળવામાં આવે, વાતચીત ન કરવામાં આવે અને પોતાનું અન્ય કોઈ કામ ન કરવામાં આવે. અને એ વાતની રિઆયત કરવી પણ ખૂબ જ ઝરૂરી છે કે જે લોકો કુર્આન શરીફ સાંભળવા બેઠા છે તે લોકો સાંભળી શકે એટલા જોરથી જ રેડિયો કે ટેપરેકોર્ડનો અવાજ રાખવો જોઈએ. એટલા જોરથી રેડિયો કે ટેપરેકોર્ડ ઉપર કિરાઅત ચાલુ કરવી કે દૂર દૂર સુધી અવાજ પહોંચે અને નમાઝીઓની નમાઝમાં ખલલ પડે, ઉંંઘનારાઓની ઉંઘમાં ખલલ પડે, અભ્યાસ કરનારના અભ્યાસમાં ખલલ પડે અને બીમારોને તકલીફ થાય એ જાઈઝ નથી. (‘આલમગીરી પ/૩૧૬)
જો કારી સાહેબ રેડિયો સ્ટેશન ઉપર પોતે આવીને કુર્આન મજીદની તિલાવત કરે અને તે તિલાવતમાં કોઈ સજદહની આયત સંભળાય તો તે આયત સાંભળનાર ઉપર સજદએ તિલાવત કરવો વાજિબ છે અને જો રેડિયો સ્ટેશન ઉપર કોઈ કારી સાહેબની કિરાઅતની કેસેટ મૂકી કિરાઅતનું પ્રસારણ કરવામાં આવે અને તેમાં સજદહની આયત સંભળાય અથવા પોતાના સ્થળ ઉપર ટેપરેકોર્ડ ઉપર કેસેટથી સજદહની આયત સાંભળવામાં આવે તો સજદએ તિલાવત વાજિબ નહીં થાય. (‘આલાતે જદીદહ ૧૬૪,ર૦૬)
Log in or Register to save this content for later.