[૩૮૬] પત્નિથી લવાતતનો સંબંધ અનેમાસિકમાં સંબધ બાંધવો

Chapter : નિકાહ

(Page : 452-453)

સવાલ :– સ્ત્રી સાથે જાતિય સંબંધ બાંધવો યોગ્ય છે અને પાછળથી સંબંધ બાંધવો હરામ છે, તો મારો કહેવાનો મકસદ એવો છે કે લવાતત કઈ રીતે થાય છે, અગર સ્ત્રીને સંભોગ કરવાથી પીડા થઈ હોય, હૈઝની હાલતમાં હોય, પોતાને જાતિય સુખ માણવાની ઈચ્છા ન હોય તેવા સંજોગોમાં પુરુષ પોતાની સ્ત્રી સાથે આડી અવરી મશ્કરી કરી (જે પાછળના ભાગ સાથે) ઈન્દ્રિ દબાવી અથવા આગળના ભાગના જાંગમાં ઈન્દ્રિય ખોસી પોતાનું વિર્ય સ્ખલન કરી પોતાની વાસના તૃપ્ત કરે છે તે બાબતમાં સ્ત્રીને કોઈ નુકશાન અથવા પોતાનું જાતિય સુખ વંચિત રહેવાનો પ્રસંગ જ ના બનતો હોય તો તેમાં લવાતત થઈ શકે છે? અથવા લવાતત કોને કહેવાય? ટૂંકમાં સ્ત્રીને યોગ્ય જગ્યાએથી સંભોગ કરવો અને બીજી કોઈ રીતે વિર્ય સ્ખલન કરવું સ્ત્રી સાથે લવાતત થઈ શકે? અગર તેવી રીતે સ્ત્રી ખુશ હોય તો કંઈ વાંધો ખરો ?

જવાબઃ– સજાતિય સંબંધ એટલે બે પુરુષો અથવા બે સ્ત્રીઓ પરસ્પર એક બીજાથી શરીર સંબંધ,  ચાહે આગળના રસ્તાથી હોય કે પાછળના રસ્તાથી હોય, લવાતતનો મતલબ છે કોઈ પુરુષ પોતાની ઈન્દ્રિથી બીજા પુરુષ અથવા ઓરતના પાછળના રસ્તા એટલે કે પાખાનાની જગ્યામાં શરીર સંબંધ કરે. આ કૃત્ય સદંતર હરામ છે અને કુર્આન હદીષમાં આવા નાપાક કૃત્ય ઉપર સખ્ત વઈદો બયાન કરવામાં આવી છે અને તબીબી દ્રષ્ટિએ પણ આ કૃત્ય ઘણું જ હાનિકારક છે અને આજકાલ ઉપસ્થિતિ ભયાનક બીમારી ”એઈડઝ” નું મુખ્ય કારણ આવા નાપાક કૃત્યને જ બતાવવામાં આવે છે અને તે કોઈ સૂરતમાં પોતાની પરણિત ઓરતથી કે અન્ય કોઈ સ્ત્રી, પુરુષથી જાઈઝ નથી અને ઓરતની હૈઝની હાલતમાં કામવાસનાના આવેગમાં પણ જાઈઝ નથી. અને ઓરતને કોઈ તકલીફ ન હોય અને તે આવું કૃત્ય કરવા રાજી હોય તો પણ જાઈઝ નથી, જો પત્ની હૈઝની હાલતમાં હોય અને પતિની કામવાસના એટલી હદે ઉત્તેજિત થઈ જાય કે ઝિના અથવા લવાતત જેવા હરામ કૃત્યમાં પડી જવાનો ભય ઉભો થઈ જાય અને વિર્યપાત થયા વિના તબીઅતમાં ચેન અને શાંતિ થવાની આશા ન હોય તો દૂંટીથી લઈ ગૂંઠણ સુધીનું બદન છોડીને અન્ય કોઈ ભાગથી સ્પર્સ કરીને અથવા ઓરતના હાથથી સ્પર્સ કરીને આવી મજબૂરીમાં વિર્યપાત કરી લેવું જાઈઝ છે, બાકી ફકત લજજત માણવા અને શરીરનું સુખ ઉત્તેજિત કરવા આવુ કાર્ય કરવું જાઈઝ નથી.  (શામી –ર)

Log in or Register to save this content for later.