Chapter : નિકાહ
(Page : 448-449)
સવાલ :– આજ કાલ સઉદી જનાર અને સઉદીથી આવનાર તેમજ અન્ય ફોરેન કન્ટ્રીઓમાં જનાર આવનાર માટે પોતાના મા–બાપ પોતાની અવલાદની શાદી ઘણા જોશ અને શોખથી કરાવે છે. શાદી પછી છોકરો બે – ત્રણ માસ પોતાની પત્ની પાસે રહે છે અને પછી પરદેશ ચાલ્યો જાય છે અને ત્યાં બે કે ત્રણ વર્ષ પણ વિતાવી દે છે તે જુદાઈના ગાળામાં છોકરા યા છોકરીથી કોઈ શૈતાની ફિત્નાનું કામ થઈ જાય તો એ માટે જવાબદાર કોણ ? અને આ વિશે શરઈ હુકમ શું છે ? આવા ટાઈમે દૌલત કમાવવું જરૂરી છે? યા પતિ–પત્નીના હકકો અદા કરવા જરૂરી છે. જો કે હલાલ રોઝીની તલબ દરેક મો’મિન ઉપર ફર્ઝ છે, પરંતુ તકદીર કરતાં તદબીર ઉપર વધારે યકીન કરવું કેવું ગણાશે ?
જવાબઃ– શોહર માટે દયાનતની રૂએ જરૂરી છે કે જો કોઈ અગવડ ન હોય અને ઓરત સાથે રહી સંસારિક જીવન ગુજારવા શકિતમાન હોય તો તેની સાથે રહી સંસારિક જીવન વીતાવે, ઓરત માટે જરૂરી છે કે તે શોહરની હાજરી અને ગેર હાજરીમાં પારકા મર્દો સાથે બે પરદગી ન થાય એનો ખાસ ખ્યાલ રાખે, અનિવાર્ય સંજોગો સિવાય પારકા મર્દોથી મેલ મિલાપ અને વાતચીત ન કરે અને ખાસ કરી શોહરની ગેર હાજરીમાં શોહરના માલની અને પોતાની ઈઝઝત – આબરૂની હિફાઝત કરવી ઓરતની જવાબદારી છે. ઓરતે જોઈએ કે મર્દની ગેરહાજરીમાં એવા કામોમાં મશ્ગૂલ રહે કે ખરાબ વિચારોથી મુકત રહી શકે, પરાયા મર્દો સાથે શણગાર અને બે પરદગીના કામોથી અગળી રહે. જો મર્દ ઓરતની જાતિય ભાવના પૂરી કરવા શકિતમાન હોવા છતાં નહિ સંતોષે તો ગુનેહગાર થશે. અને ઓરત પોતાની ઈઝઝત આબરૂની હિફાઝતના ઉપાયોમાં કોતાહી વર્તશે અને કોઈ ગુનાહમાં સપડાય જશે તો ઓરત જ ગુનેહગાર થશે. હા, મર્દને તેની બેપરદગી અને આબરૂની હિફાઝતના ઉપાયોમાં કોતાહીની જાણ હોવા છતાં તેને રોકે નહિ તો મર્દ પણ ગુનેહગાર થશે. બાકી રોઝી કમાવવા માટેની તદબીર કરી કામયાબીની આશા અલ્લાહથી રાખવી એ ઈમાન–યકીન અને તવક્કુલના વિરૂધ્ધ નથી. (શામીઃ ર/૩પ૯,પ૯૪,૬૬પ)
Log in or Register to save this content for later.