[૩૬૪] સગાઈ કરવાની પ્રથા

Chapter : નિકાહ

(Page : 420-421)

સવાલઃ– (૧) આપણા મુસ્લિમ સમાજમાં છોકરા–છોકરીની સગાઈ કરતી વખતે જણસો આપવાનો રિવાજ છે તો એ દીનથી સાબિત છે? અને એ માટે સહીહ તરીકો શું છે? જણસ લઈને ફકત ઓરતો વિના મહરમે જાય છે અને છોકરી પક્ષે પણ પોતાના ખાનદાનની ઓરતોને દા’વત આપી જમા કરવામાં આવે છે તો એ સહીહ છે તે જણાવશો.

સવાલઃ–(ર) આપણા સમાજમાં બીજો રિવાજ એ છે કે છોકરીની જણસ આપ્યા પછી છોકરી પક્ષેથી ૮ – ૧૦ ઓરતો છોકરાની જણસ (ઘડીયાળ– કપડાં વગેરે) લઈને આવે છે અને તે પણ ખાનદાનની ઓરતોને દા’વત આપી જમા કરે છે તો તે અંગે શરીઅત શું હુકમ આપે છે ? તે જણાવશો.

જવાબઃ–(૧/ર) સગાઈ વખતની વિધિ અને પ્રચલિત રિવાજનો શરીઅતથી કોઈ સબૂત નથી, માત્ર ગેર મુસ્લિમ સમાજમાંથી આવેલી રસમોમાંથી એક રસમ છે, સહીહ તરીકો તો એટલો છે કે બાલિગ છોકરા અને છોકરીની રઝામંદી મેળવીને બન્ને ના વડીલો સગાઈની વાતચીત કરી લે, છોકરો શરીઅતની હદમાં રહીને છોકરીને સગાઈથી પહેલાં જોઈ લે એ પણ મુસ્તહબ છે.        (શામી – ર / ઈસ્લાહુર્રુસૂમ)

Log in or Register to save this content for later.