[૩૬૩] સામાજિક સુધારણા કમિટીના શરીઅત વિરૂધ્ધ નિયમો

Chapter : નિકાહ

(Page : 416 to 420)

સવાલઃ– અમારા માંગરોળની ઘાંચી જમાઅતમાં ઘણાં જ વર્ષો પહેલાથી છોકરા છોકરીઓના નાતરાનો રિવાજ છે.

          આ રિવાજ ઘાંચી જમાઅતના મોટેરાઓએ રાખેલ છે અને તેમાં ઘણાં સુધારા વધારાઓ પણ કરેલ છે.

          છોકરાના માવતર છોકરીવાળાના માવતરને એટલે કે છોકરીને પહેરવા માટે અમુક દાગીના તેમજ કપડાં આપે છે તે જમાઅતના ઠરાવો મુજબ આપે છે, જમાઅત જે ઠરાવો કરે છે તેના વિરૂધ્ધ કોઈ કરે તો તેને જમાઅત દંડ કરે છે અને તે કસૂર કરનાર પાસેથી વસૂલ કરે છે.

          ઘાંચી જમાત તરફથી નાતરામાં છોકરા પક્ષ તરફથી છોકરીને દેવા માટે સોનાની કોઈ જનસ તેમજ ચાંદીની કોઈ જણસ કાન–નાકમાં પહેરવા માટે અમુક મિકદારમાં નકકી કરવામાં આવે છે, તેમજ પેહરવા માટે અમુક મિકદારના કપડાં માટે અમુક રકમ નકકી કરવામાં આવે છે અને છોકરાપક્ષની અમુક બહેનો આ બધુ લઈને છોકરીના ઘરે જાય છે અને નકકી થયેલ બધી વસ્તુઓ આપી આવે છે અને જમાઅતમાં તેની નોંધ કરવામાં આવે છે.

          કોઈ પણ જમણવાર કે ચા–શરબત પીવડાવવાની મનાઈ છે તેમજ કોઈ પણ પુરૂષોએ નાતરુ ચઢાવવા છોકરીના ઘરે જવું નહીં તેમજ કોઈ નાચગાન કરવું નહીં, દાંડીયારાસ વિગેરે કાંઈ કરવું નહીં.

          છતાં પણ ઠરાવો વિરૂધ્ધ ઘણા લોકો કામો કરે છે, મોટા મોટા જમણવાર કરે છે, ચા–શરબતની પાર્ટીઓ રાખે છે તેમજ ઘણી ઘણી મોંધી ચીજ વસ્તુઓ કપડાં વિગેરે દીકરાના માવતરો દીકરીવાળાને આપે છે જેથી જમાઅતમાં કેસો આવે છે તેનો નિર્ણય જમાઅત કરે છે અને ઠરાવો વિરૂધ્ધ વર્તનારનો જમાઅત દંડ કરે છે જે દંડ વસૂલ કરવામાં આવે છે.

          ઘાંચી જમાઅત ઘણી જ મોટી છે જેમાં ઘણા લોકો ગરીબ પણ હોય છે જેથી તેઓ પણ દેખા દેખી વ્યાજે રકમ લઈને માલદાર (ધનવાન) માણસોની જેમ જમાઅતના ઠરાવ વિરૂધ્ધ વ્યવહાર કરે છે.

          નાતરુ (સગાઈ) પાંચ – પાંચ, છ–છ વરસ સુધી રહે છે પછી લગ્ન થાય છે તે સમય દરમિયાન એવા પણ કેસ આવે છે કે છોકરી ગમતી નથી એવા બહાના કરી નાતરા તોડી નાખે છે જેનો છોકરા –છોકરી ઉપર ”એબ” આવે છે.

          ખોટા ખર્ચા ઢોંગ ઘાકરા કરવા નહીં અને જમાઅતના ઠરાવો પ્રમાણે વર્તવા માંગરોળના તમામ ઘાંચીઓની એક જનરલ સભા બોલાવવામાં આવેલ તેમાં પણ કોઈ સહમત થયેલ નહીં અને ઠરાવના વિરૂધ્ધ જાય છે તેઓ જમાઅતનો દંડ ભરી આપે છે.

          હાલના સંજોગો પ્રમાણે સારા પ્રસંગે આબરૂદાર માણસો મોટા ખર્ચા પોતાની આબરૂ સાચવી રાખવા કરે છે, આમાં ધનવાન માણસો પૈસાના જોરે કામો કરે છે પણ બીજા ગરીબ માણસો પણ આ કામો કરવા લાગે છે, વ્યાજે પૈસા લઈ આબરૂ સાચવે છે. વર્ષોથી નાતરા (સગાઈ)ના રિવાજ છે જે લોકોના મનમાં ઘર કરી ગયા છે તે તુરત નીકળી શકે તેમ જણાતું નથી. જો આ રિવાજ બંધ કરવા જઈએ છીએ તો લોકો માન્ય રાખતા નથી, રિવાજ બંધ કરતાં નથી. જમાઅત મોટી હોવાથી ઝઘડા ઉપર મામલો આવી જાય છે અને ફિતનાઓ થવાનો મોટો ડર છે અને માંગરોળ ઘાંચીઓના એક સંપવાળી શાંતિથી સુલેહથી રહેનારી પ્રજામાં વિવાદ ઉભો થાય છે એક થઈને રહી શકતા નથી અને અગાઉ આવા બનાવો બની ગયેલ છે.

          ઘાંચી સમાજ એક સામાજિક સંસ્થા છે, ધાર્મિક સંસ્થા નથી જેમાં દીન દુન્યાના ઘણા કામો કરવાના થાય છે, હાલના સંજોગોમાં ફકત દીનના કામો નહીં પણ દુનિયાના કામો ઉપર પણ ધ્યાન આપવું પડે છે, સમયના તાલ પ્રમાણે પણ વર્તવું પડે છે.

          ઘાંચી લોકોમાં પ્રથમ નાતરુ (સગાઈ) કરવામાં આવે છે અને બાદમાં અમુક સમય બાદ શાદી (નિકાહ) કરવામાં આવે છે.

          સમાજનો નાનો સમુહ નાતરાનો રિવાજ બંધ કરવા માંગે છે અને મોટા ભાગનો સમાજ નાતરાનો રિવાજ બાકી રાખવા માંગે છે, ઉપરોકત તમામ ચર્ચા આપના નેક લક્ષમાં લઈ વિગતવાર મશ્વેરો આપવા અરઝ છે.

જવાબ :– ઘાંચી જમાઅત સમાજમાં થતી ગેર રીતીઓ અટકાવવા અને ખોટા રિવાજો નાબૂદ કરવા જે પ્રયત્નો કરે છે તે ખરેખર પ્રસંશાને પાત્ર અને આવકાર દાયક છે અને એ વાત પણ પોતાની જગ્યાએ બરાબર છે કે સમગ્ર ઘાંચી મુસ્લિમ જમાઅત એક સામાજિક સંસ્થા છે, દુન્યવી સંસ્થા નથી.

          પરંતુ મજકૂર સંસ્થા સંપૂર્ણર્રૂપમાં અને ખરા અર્થમાં મુર્િસ્લમ જમાઅત ત્યારે જ કહેવાશે જયારે કે તે પોતાના સમાજની ઈસ્લાહ અને સુધારણા કિતાબુલ્લાહ અને સુન્નાતે રસૂલિલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની તઅલીમાતની રોશનીમાં કરવાને પોતાનો મુખ્ય હેતુ અને ધ્યેય નકકી કરે. તમારી સંસ્થા ચાહે સામાજિક છે, પરંતુ દીને ઈસ્લામ માત્ર ઈબાદતો નમાઝ, ઝકાત, રોઝા હજ સુધી જ રેહબરી નથી કરતો, મુઆશરતી અને સામાજિક જીવન વિષે પણ પૂરેપૂરી રેહબરી પૂરી પાડે છે, નિકાહ તલાક વિશે પૂરેપૂરી માહિતી પૂરી પાડે છે અને આ વિષયને લગતી સંખ્યાબંધ આયતો અને હદીસ શરીફો મવજૂદ છે, માટે સામાજિક વ્યવસ્થાને ધર્મથી અલગ સમજવી એ દુરસ્ત નથી. સામાજિક મુસ્લિમ સંસ્થાના નિતી નિયમો અને ઠરાવો પણ શરીઅત અને મસાઈલની હદમાં રહીને જ નકકી થવા જોઈએ.

          (૧) સગાઈની જે રીત રસમ ઘાંચી સમાજમાં પ્રચલિત છે, શરીઅતથી એનો કોઈ સબૂત નથી, માટે નાતરાનો રિવાજ બંધ કરવો જોઈએ.

          (ર) મુસ્લિમ ઘાંચી જમાઅતના ઠરાવો અને નિયમોનો વિરોધ કરનાર પાસેથી દંડ લેવાનો ઠરાવ નકકી કરવો એ પણ શરીઅત વિરૂધ્ધ છે, એ માટે પમ્ફલેટો, કિતાબો છપાવી, તકરીરો કરાવી સમાજને સમજૂતી આપવી જોઈએ અને તેઓની વિચાર સરણીને શરીઅતના અનુરૂપ બનાવવાની કોશિશ કરવી જોઈએ.

          (૩) મુસ્લિમ ઘાંચી જમાઅતમાં દીની મસાઈલના જાણકાર હોય અને સામાજિક કઝિયાઓનો ઉકેલ લાવવાની લાયકાત ધરાવતા હોય એવા આલિમો પણ ખાસ સભ્ય હોવા જોઈએ, અલ્લાહ તઆલા દીની ફિક્ર અને વિચારધારા અતા ફરમાવે. આમીન

Log in or Register to save this content for later.