[૩પપ] નિકાહ પછી રૂખ્સતી કયારે?

Chapter : નિકાહ

(Page : 407)

સવાલ :– મેં નિકાહ પઢી લીધા છે, પરંતુ આજે સાત મહિના થયા છતાં છોકરીને બોલાવી નથી તો આ માટે શરીઅત શું કહે છે તથા નિકાહ પછી કેટલા ટાઈમમાં છોકરીને બોલાવી લેવી જોઈએ.

જવાબ :– નિકાહ થઈ ગયા પછી તુરત જ શોહરને પોતાની પત્નિને પોતાના ઘરે બોલાવવાનો અધિકાર છે, બોલાવવા માટે કોઈ સમય મર્યાદા નથી, સિવાય એ કે ઓરત પોતાની મહર વસૂલ થતાં સુધી પતિની સાથે જવાથી ઈન્કાર કરી શકે છે, બાકી મહર વસૂલ થઈ ગયા પછી તેના માટે પતિ સાથે જવાથી ઈન્કાર કરવો જાઈઝ નથી. (શામી–ર/૩પ૮)

Log in or Register to save this content for later.