[૧૦] મિસવાકને બદલે છીકણી ઘસવી

Chapter : તહારત

(Page : 51)

સવાલ :– આજકાલ ઘણા માણસો મિસવાકને બદલે નાશ (છીકણી) જે સુગંધી હોય છે, વુઝૂ બનાવતાં પહેલાં દાંતની સફાઈ માટે તે છીકણીનો ઉપયોગ કરે છે અને મિસ્વાકનો ઉપયોગ નથી કરતા. સદર છીકણી તંબાકુની બનાવેલી હોય છે, જેમાં ગંધ માટે બીજી વસ્તુઓનો પણ સમાવેશ થતો હશે. જો વુઝૂ વખતે કોઈ છીકણી વાપરતુ હોય તો હોઝ ઉપર પણ ગંધ આવે છે અને તે માણસ નમાઝમાં આપણી સાથે ઉભો હોય તો નમાઝમાં પણ આપણને ગંધ લાગે છે, તો આવી છીકણી વાપરવાથી નમાઝમાં કોઈ ખામી આવે કે નહિં ? વળી, તેને વાપરનારા અમુક માણસો ઈમામત પણ કરાવે છે, ઘણા માણસો તેને દાંતની બીમારીનો ઉપાય બતાવે છે અને અમુક બીજા ફાયદાઓ પણ જાહેર કરે છે, તો શરઈ દ્રષ્ટિએ જવાબ આપશો.

જવાબ :– દાંત સાફ કરવા છીકણીનો ઉપયોગ કરવો જાઈઝ છે, જો દાંત પર તેના ઘસ્યા બાદ મોઢામાં એવી ગંધ બાકી રહેતી હોય કે જેનાથી આસપાસના માણસોને તકલીફ થતી હોય તો મોઢામાં ગંધ બાકી હોવાની હાલતમાં નમાઝ પઢવી–પઢાવવી અને મસ્જિદમાં જવું મકરૂહ છે, જો મોઢું બરાબર સાફ કરી ગંધ દૂર કરી લેવામાં આવે તો તેનો ઉપયોગ કરાહત વગર જાઈઝ છે અને તકલીફદાયક ગંધ દૂર કરીને નમાઝ પઢવી – પઢાવવી, મસ્જિદમાં જવું પણ મકરૂહ નથી.

(શામી ભા.પ/ર૯પ રશીદિય્યહ ૪૮૮ કિ.મુફતી ૯/૧૩પ)

                વુઝૂ વખતે મિસવાક કરવું સુન્નતે મુઅક્‌કદહ છે, માટે પોતાની પાસે મિસવાક હોવા છતાં વગર મજબૂરીએ છોડવું સુન્નતની મુખાલફતના કારણે મકરૂહ છે અને મિસવાક હોવા છતાં આંગળીથી છીકણી ઘસી લેવાથી સુન્નત અદા નહિ થાય અને મિસવાક છોડીને ફક્ત છીકણી ઘસવાની આદત બનાવી લેવી ઘણી બુરી અને ગુનાહની વાત છે. આપ (સલ.) હંમેશા મિસ્વાકથી દાંતોની સફાઈ ફરમાવતા હતા. માટે જો છીકણી ઘસવા બાદ કોઈ પ્રકારની ગંધ મોઢામાં બાકી ન રહેતી હોય તો એ પ્રમાણે છીકણીનો ઉપયોગ દાંતોની સફાઈ માટે કરાહત વગર જાઈઝ છે, પરંતુ છીકણીના લઈ મિસવાકની સુન્નત ન છોડવી જોઈએ.           (દૂર્રે મુખ્તાર, શામી ભા.૧/૭૭,હિદાયહ અવ્વલ/૩૧)

Log in or Register to save this content for later.