Chapter : નિકાહ
(Page : 395-396)
સવાલઃ– મારા મોટા ભાઈ અહમદની બીવીનું વિલાદતના અંદાજિત દસ દિવસમાં ઈન્તેકાલ થઈ ગયેલ અને હમે તેનો દિકરો (નામ અબૂ બક્ર) દત્તક લઈ તેનો રજિસ્ટ્રેશન કરાવી લીધુ હતું અને અંદાજિત એક મહીનામાં મારે ઘરે વિલાદત થતા મારી બીવીનો દૂધ મારા દત્તક છોકરા (અબૂ બક્ર)ને નસીબ થયું અને પછી અબૂ બકરના બધા કાગળોમાં બાપ તરીકે મારું નામ છે, હવે તેની શાદી માટે નામ બોલવામાં અને લખવામાં મારું નામ લઈ શકીએ છીએ? એટલે કે નિકાહ ચિઠ્ઠી પર મારું નામ લખી શકીએ છીએ, કારણ કે સરકારી એ’તેબારથી આગળ જતાં તકલીફ ન થાય કે તેના અસલ વાલિદ અહમદનું નામ લખાય અને બીજું કે દત્તક બાળકનું વિરાસતનો હક મારા ઈન્તેકાલ પછી મારી મિલ્કતમાં લાગશે કે મારા ભાઈ અહમદ (જેનો હકીકી છોકરો છે) તેમની મિલ્કતમાંથી, બરાયે કરમ જવાબ આપી આપની દુઆઓમાં યાદ રાખશો.
જવાબઃ– તમારા દત્તક ભત્રીજાના નામ સાથે બાપ તરીકે તમારું નામ લખવું જાઈઝ નથી, કુર્આન શરીફમાં સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો છે કે ‘દત્તક પુત્રને તેના હકીકી બાપ તરફ નિસબત કરી બોલાવો’. (સૂરએ અહઝાબ)
મજકૂર પુત્ર તમારો ભત્રીજો અને રઝાઈ પુત્ર ગણાશે, હકીકી દીકરો નહીં ગણાય, માટે તે હકીકી દીકરા તરીકે તમારો વારસદાર પણ નહીં ગણાય, અલબત્ત જો તમારો પોતાનો હકીકી દીકરો હોય તો ભત્રીજા તરીકે તમારો વારસદાર ન ઠરતો હોય તો તમો પોતાની વારસાઈ પાત્ર મિલકતના ત્રીજા ભાગ સુધીની વસિય્યત તેના માટે કરી શકો છો. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.