Chapter : નિકાહ
(Page : 386-387)
સવાલ :– હું છેલ્લા થોડા વર્ષોથી શાદી શુદહ છું, પરંતુ મારી પત્ની સાથે હમ બિસ્તરી થઈ શકતી નથી, મેં અમારા બંનેના મેડીકલ રિપોર્ટ પ્રસંગોપાત કઢાવ્યા છે. જે નોર્મલ આવે છે, કેટલાક આલિમો તથા આમિલો પાસે ઈલાજ કરાવ્યો જેમાં તેઓએ એવી શંકા વ્યકત કરી હતી કે મારી પત્ની પર જિન્નાવત યા બીજી કોઈ ગેબી અસર છેં, આ અસર તેના પર મુસલ્લત થઈ જતાં તે હમ બિસ્તરી કરી શકતી નથી, કોઈ સર્કશ શૈતાન તેના પ્રેમમાં પડી ગયો હોવાથી અમને સાંસરિક જીવન ગુજારવા દેતો નથી, તો શું આ શકય છે? આનો ઈલાજ શું હોય શકે? અને આપના ધ્યાનમાં કોઈ અલ્લાહ વાળા ખરા, જે અમારો પ્રોબ્લમ દૂર કરી શકે ?
જવાબઃ– જિન્નાતત કોઈ ઓરતના પ્રેમમાં પડે એ શકય છે અને તેના તરફથી આવી કોઈ હરકત હોય એ પણ શકય છે અને સહર (જાદુ)ની અસર હોય એ પણ શકય છે (આ. મર્જાન)
બાઅમલ નેક આલિમોથી ઉપાય કરાવવો જોઈએ, દરેક દારૂલ ઉલૂમના શૈખુલ હદીષોથી ઉપાય જાણવો અને પ્રાપ્ત કરવો જોઈએ, હકીમી યુનાની ઈલાજ પણ કરાવવો જોઈએ.
Log in or Register to save this content for later.