[૩૩પ] મુરતદ ઓરતની અવલાદ દાદા પાસે રહેશે

Chapter : નિકાહ

(Page : 385-386)

સવાલઃ– એક ગેર મુસ્લિમહ ઓરતે મુસલમાન થઈને એક મુસલમાન ભાઈ સાથે નિકાહ કર્યા, થોડા સમય બાદ તે ભાઈનો ઈન્તિકાલ થઈ ગયો, તે ઓરતનો ગેર મુસ્લિમ સાથે પ્રેમ સંબંધ છે, તે ઓરતને ત્રણ છોકરાઓ છે, જે પોતાના દાદા સાથે રહે છે અને ભરણ પોષણ પણ દાદા જ કરે છે, પણ તે ઓરત છોકરાઓ માંગે છે, હવે જો તેઓને આપી દઈએ તો છોકરાઓ દીની તાલીમથી મહરૂમ રહી જશે. અને હિન્દુઓના જ રીત રિવાજ કરશે. તો એ છોકરાઓ તેને આપી શકાય? અને તે ઓરત પાછી આવવા આગ્રહ કરે તો તેને લાવી શકાય?

જવાબ :– પૂછેલી સૂરતમાં છોકરાઓને દાદાએ પોતાની  પાસે રાખવા જોઈએ, તેઓની માને ન સોંપવા જોઈએ અને મજકૂર ઓરત તવબહ કરીને ઈસ્લામ સ્વીકારીને પરત આવવા ચાહે તો તેને લાવી શકાય છે.      (શામી ભા. ર)

Log in or Register to save this content for later.