[૩૩૩] શાહ ખાનદાનનો નસબ

Chapter : નિકાહ

(Page : 384-385)

સવાલ :– શાહ લોકો કયા ખાનદાનથી છે? કયા સિલસિલાથી  તઅલ્લુક ધરાવે છે? તેઓનું કહેવું છે કે અમો મોટા વલીઓના ખાનદાનથી છે, તો તે લોકોનું મોઅતબર નસબનામુ જણાવશો. અને એ વાત ખરી છે કે શાહ ખાનદાનમાં એક બુઝુર્ગ થઈ ગયા, જેમની ઉમર  ૯૦૦ વર્ષની હતી, હૂઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની એક ખિદમત કરવાથી એટલે કે એકવાર આપ ઊંટ ચરાવવા જંગલ ગયા, એક જગાએ પાણી ખૂબ હતું, આપ પાણીમાં ઉતરી ન શકયા તો એમણે પોતાના ખભા પર બેસાડી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને પાર ઉતારી દીધા એમને આપે ઉમર દરાઝની દુઆ આપી આ કિસ્સો અલ ઈસ્લાહમાં છે.

જવાબઃ–  શાહ લોકોનો નસબ અહકરની જાણમાં નથી અને આપે જે ઘટના લખી છે તેની પણ જાણ નથી.

Log in or Register to save this content for later.