Chapter : નિકાહ
(Page : 377)
સવાલઃ– અમારી જમાઅતમાં નિકાહ પઢાવવાની કાઝી તરીકે હું સેવા આપી રહયો છું, જયારે છોકરાવાળા જમાઅતના પ્રમુખ અથવા સેક્રેટરી પાસે નિકાહની પરવાનગી લેવા જાય છે ત્યારે જમાઅતના ઠરાવ મુજબ પ૧/– રૂા. કાઝી માટે નિકાહના હદિયાના લઈ લે છે અને તે પૈસા નિકાહ થઈ ગયા પછી કાઝીને આપી દે છે, પણ કયારેક એવું પણ બને છે કે છોકરો બહાર ગામ અથવા ઈજતેમામાં નિકાહ કરે છે અને ત્યાં કાઝીને સાથે લઈ જતા નથી જેથી તે નિકાહ પઢાવતા નથી પણ જમાઅતવાળા ઠરાવ પ્રમાણે તે પૈસા તો નિકાહવાળા પાસેથી કાઝીના હક તરીકે લઈ લે છે અને કાઝી ને આપી દે છે, તો શું આ પ્રમાણે તે પૈસા કાઝી માટે લેવા જાઈઝ છે?
જવાબ :– સવાલમાં લખવા મુજબ જમાઅતે એવો ઠરાવ કરવો જાઈઝ અને દુરસ્ત નથી કે દરેક નિકાહ પઢાવનારે કાઝી સાહેબ માટે ફરજિયાત પ૧ રૂા. આપવા પડશે, એવી જ રીતે કાઝી સાહેબે એવી રકમ લેવી પણ જાઈઝ નથી, જમાઅતની દખલગીરી વિના કોઈ નિકાહ પઢનાર માણસ રાજીખૂશીથી કાઝી સાહેબને હદિયો આપે એ જાઈઝ છે.(ઈ.ફતાવા– ૩)
Log in or Register to save this content for later.