Chapter : નિકાહ
(Page : 371-372)
સવાલઃ– આજે સવારે નિકાહ કર્યા અને રાત્રે વલીમો કર્યો તો શું આ બરાબર છે ?
જવાબઃ– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અમલથી વલીમો એ પ્રમાણે સાબિત છે કે જયારે નિકાહ પછી ઓરત સાથે રાતવાસો થઈ જાય તો સવારમાં વલીમાની દઅવત કરવામાં આવે, મોટા ભાગના આલિમોનું મંતવ્ય પણ એ જ પ્રમાણે છે, માટે બેહતર અને અફઝલ એ જ છે કે નિકાહ કરીને જયારે ઓરત સાથે રાતવાસો થઈ જાય તે પછી વલીમાની દાવત કરવામાં આવે.
બાકી સલફે સાલિહીન (રહ.)થી વલીમાના વખત વિશે બીજા પણ વિવિધ મંતવ્યો સાબિત છે. અમુક ફરમાવે છે કે વલીમો નિકાહ થાય તેથી પહેલાં કે પછી કરવામાં આવે, અમુક ફરમાવે છે કે દુલ્હન સાથે રાતવાસો થાય પછી વલીમો કરવામાં આવે, માટે આ મંતવ્યો મુજબ ગમે તે સમયે વલીમો કરવાથી સુન્નિત અદા થઈ જશે, એટલે સવારે નિકાહ કરીને રાત્રે વલીમો કરવામાં આવે તો પણ બરાબર છે. (આલમગીરી – પ/૩૪૩, ફ.દારૂલ ઉલૂમ મુદ. ૭/૧૬૭)
Log in or Register to save this content for later.