Chapter : નિકાહ
(Page : 369)
સવાલ :– મારી અહલિયાએ પોતાની સોનાના દાગીનાની વસ્તુ વેચીને અને એ પણ પોતાના વાલિદ સાહેબના ઘરની વસ્તુ, મારી નહીં, અને એ પૈસાથી પોતાના પ્લોટ નંગ–૩ લીધા છે, તો એ પ્લોટમાં મારા ભાઈઓનો હક ખરો? મારા રિશ્તેદારોનો હક ખરો ? મારાથી મારી અહલિયાની મિલ્કિયતની વસ્તુ આપવામાં કોઈ ગુનો ખરો? અને મારાથી મારી અહલિયાની વસ્તુ કોઈને આપી શકાય એની રજા સિવાય આપુ તો નારાજ થાય છે મારી અહલિયા કહે છે કે મારી વસ્તુની હું હકદાર છું હું તે આપતી નથી, તો હું આપું તો હું ગુનેહગાર ખરો? અને લેવાવાળા ગુનેહગાર ખરા?
જવાબ :– જે વસ્તુઓ અહલિયહની મૂડીથી તેની માલિકી તરીકે ખરીદી હોય તે વસ્તુઓ અહલિયહની માલિકીની ગણાશે, તેની રજા અને રાજીખૂશી વગર તે વસ્તુઓ વાપરવી અથવા કોઈને આપવી જાઈઝ નથી, જો પતિ તેની રજા વગર કોઈને આપશે તો લેનાર માટે હલાલ નહિ ગણાય. (શામી–ર)
Log in or Register to save this content for later.