[પ૧૦] હનફી પાછળ શાફઈ વિત્ર પઢી શકે છે

Chapter : નમાઝ

(Page : 522)

સવાલ : એક માણસ શાફઈ મસલક પર ચાલે છે. તેણે તરાવીહ પૂરી પઢી, તે પછી પોતે અલગ થઈ શાફઈ મસ્લક પ્રમાણે વિત્ર જુદો પઢે છે, જેના કારણે જમાઅતનો સવાબ મળતો નથી. તે માણસ હનફી તરીકા મુજબ અથવા હનફી મસ્લકના ઈમામ પાછળ વિત્ર અદા કરી શકે કે કેમ? અને અદા કરે તો કઈ રીતે અદા કરે, કારણ કે તે ૧ રકઅત અને ર રકઅત જુદી પઢે છે. આ જમાઅતના સવાબ માટે સવાલ છે.

 જવાબ : શાફઈ મસ્લક મુજબ અમલ કરતો માણસ હનફી ઈમામ પાછળ વિત્રની નમાઝ રમઝાનમાં જમાઅતથી પઢી શકે છે, કારણ કે સહીહ હદીસોથી એક સલામથી ત્રણ રકઅત વિત્ર પઢવી સાબિત છે અને ઈમામ શાફઈ (રહ.)ના મસલકમાં પણ કમથી કમ વિત્રની એક રકઅત છે અને ત્રણ રકઅત પણ પઢી શકાય છે.

(શામી, ભાગ–૧/૪૪૮, કબીરી : ૪૧૩)

Log in or Register to save this content for later.