[પ૦૯] વિત્રમાં દુઆએ કુનૂત વખતે હાથ લટકાવી ઉઠાવવા

Chapter : નમાઝ

(Page : 521-522)

સવાલ : વિત્રની ત્રીજી રકઅતમાં અલ્હમ્દુ અને બીજી સૂરત પઢી બન્ને હાથ કાન સુધી ઉઠાવી ફરીથી હાથ બાંધી દુઆએ કુનૂત પઢવાનું હોય છે. આ હાથ બાંધવામાં અમુક માણસો અલ્હમ્દુ અને સૂરત પછી હાથ છોડી દે છે, એટલે કે કૌમાની હાલતના જેમ હાથ લટકાવે છે અને પછી હાથ ઉઠાવી હાથ બાંધે છે. એક ભાઈનું કહેવુ છે કે હાથ છોડવાનુ સાચુ નથી, હાથ સીધા જ ઉઠાવી ફરી બાંધવા જોઈએ. એટલે કે હાથ ઉઠાવતાં પહેલાં લટકાવવા જોઈએ નહિ. તો આ બાબતમાં હનફી મઝહબ પ્રમાણે સાચી સમજ આપશો. બીજુ કે અમુક માણસો કોઈ પણ નમાઝ શરૂ કરે છે ત્યારે હાથ ઉઠાવી બાંધતા પહેલાં લટકાવે છે અને પછી બાંધે છે તો એ બાબત યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ : વિત્રની ત્રીજી રકઅતમાં અલ્હમ્દુ અને સૂરત પઢી હાથ સીધા છોડવા ન જોઈએ, બલ્કે હાથ લટકાવ્યા વગર સીધા ઉઠાવીને અલ્લાહુ અકબર કહી ફરી બાંધી દેવા જોઈએ અને એ જ પ્રમાણે કોઈ પણ નમાઝની તકબીરે તહરીમા વખતે પણ તકબીરે તહરીમા કહીને હાથ લટકાવ્યા વગર સીધા જ બાંધી દેવા જોઈએ. એ જ ઝાહિરૂર્રિવાયત છે.

(શામી, ભાગ–૧/૩ર૭)

Log in or Register to save this content for later.