Chapter : નમાઝ
(Page : 521)
સવાલ : વિત્રની નમાઝમાં ભૂલથી સના પઢીને દુઆએ કુનૂત પઢે તો રુકૂઅમાં મોડુ થવાથી સજદએ સહ્વ વાજિબ થશે કે નહિ ?
જવાબ : વિત્રમાં કુનૂતની તકબીર પછી ભૂલથી અથવા ઈરાદાપૂર્વક સના પઢીને દુઆએ કુનૂત પઢે તો સજદએ સહ્વ વાજિબ નહિ થાય. મજકૂર તકબીર પછી એવી લાંબી દુઆ માંગવી, જે કુરઆન–હદીસથી મનકૂલ હોય અથવા તેવા મજમૂનની હોય એ જાઈઝ છે, બલ્કે અફઝલ છે એટલે સના પઢવાથી રુકૂઅમાં મોડુ થયું નહિ કહેવાય, કારણ કે કુનૂતની મશહૂર દુઆનું પ્રમાણ વાજિબ અને જરૂરી નથી, એથી લાંબી દુઆ પણ માંગી શકાય છે. (અલ બહરુર્રાઈક, ભાગ–ર/૪ર)
Log in or Register to save this content for later.