Chapter : નમાઝ
(Page : 145-146)
સવાલ :– અમારી મસ્જિદના પેશ ઈમામ સાહેબ ફર્ઝ નમાઝની ચોથી રકઅતમાં કઅ્દહમાં બેસવાને બદલે બિલકુલ ઉભા થઈ ગયા (કિયામની હાલતમાં), પરંતુ એ ગાળામાં મુકતદીઓએ તરત જ લુકમો આપવાથી ઈમામ સાહેબ તરત જ કઅ્દહમાં આવી બેસી ગયા અને બાકીની નમાઝ પૂરી કરી. હવે કેટલાક મુકતદીઓ કહે છે કે આ સૂરતમાં સજદએ સહવ ઝરૂરી છે. જયારે ઈમામ સાહેબનું કહેવું છે કે ઉભા થવા પછી કિયામની હાલતમાં ત્રણ વખત સુબ્હાનલ્લાહ કહી શકાય એટલું મોડું થાય તો જ સજદએ સહવ ઝરૂરી બને છે. માટે પૂછેલી સૂરતમાં કુર્આન અને શરીઅતની રોશનીમાં જવાબ આપશો.
જવાબ :– પૂછેલી સૂરતમાં ઈમામના ભૂલથી કઅ્દહ છોડીને ઉભા થઈ જવાથી અને લુકમો લઈ તુરત જ બેસી જવાની તા’ખીરથી પણ સજદએ સહવ વાજિબ થઈ ગયો હતો, ચાહે ઈમામ સાહેબ ઉભા થઈને ત્રણ તસ્બીહની મિકદાર ઉભા ન રહયા હોય, તો પણ આ સવાલમાં લખ્યા મુજબ માત્ર ઉભા થઈ જવાથી અને બેસવાથી કઅ્દહમાં થયેલી તા’ખીરથી સજદએ સહવ વાજિબ થાય છે અને સજદએ સહવ છૂટવાથી નમાઝ દોહરવવી જોઈએ. (શર્હે મુન્યહ, કિ.મુફતી – ૩)
Log in or Register to save this content for later.