Chapter : નમાઝ
(Page : 509-510)
સવાલ : રમઝાન મુબારકમાં વિત્રની ત્રીજી રકાતમાં ઈમામ સાહેબ અલ્હમ્દુ તથા સૂરત પઢયા પછી દુઆએ કુનૂત પઢયા વગર અલ્લાહુ અકબર કહીને ભૂલથી રુકૂઅમાં જતા રહ્યા. મુકતદીના અલ્લાહુ અકબર કહી લુકમો આપવાથી ઈમામ સાહેબ અલ્લાહુ અકબર કહી ઊભા થઈ ગયા અને દુઆએ કુનૂત પછી રુકૂઅ, સજ્દહ કરી અને કઅ્દહમાં અત્તહિય્યાત પઢી સહવનો સજ્દહ કરી નમાઝ પૂરી કરી તો વિત્રની નમાઝ અદા થઈ કે નહિ ?
જવાબ : પૂછેલી સૂરતમાં અમલ માન્ય મંતવ્ય મુજબ વિત્રની નમાઝ તો સહીહ રીતે અદા થઈ ગઈ, પરંતુ આવી સૂરતમાં મુકતદીઓએ ઈમામ સાહેબને રુકૂઅમાંથી ઊભા થવાનો લુકમો ન આપવો જોઈએ, બલકે મુકતદીઓએ પણ ઈમામની સાથે રુકૂઅ કરી લેવો જોઈએ અને જો કોઈ મુકતદી મસ્અલાથી અજાણ હોવાના કારણે લુકમો આપે તો પણ ઈમામે દુઆએ કુનૂત પઢવા માટે રુકૂઅમાંથી કયામ તરફ પાછા ન ફરવું જોઈએ, બલકે રુકૂઅ પૂરો કરી કવમહ પછી બંને સજદહ કરી કઅદહ કરવો જોઈએ અને દુઆએ કુનૂત છૂટી જવા બદલ અત્તહિય્યાત પઢી સજ્દએ સહવ કરી લેવો જોઈએ.(‘શામી ૧)
Log in or Register to save this content for later.