[પ૦૦] વિત્રમાં કુનૂત પહેલાંની તકબીર સુન્નત છે

Chapter : નમાઝ

(Page : 509)

સવાલ : વિત્રની ત્રીજી રકાતમાં દુઆએ કુનૂત પઢવા માટે જે તકબીર કહેવામાં આવે છે શું એ વાજિબ છે ? ભૂલથી અથવા જાણી જોઈને, મજકૂર તકબીર છોડી દેવામાં આવે તો સજદએ સહવ વાજિબ થાય છે ?

જવાબ : રાજિહ મંતવ્યના મુતાબિક તકબીરે કુનૂત વાજિબ નથી, બલ્કે તકબીરે તહરીમા સિવાય અન્ય તકબીરોની જેમ સુન્નત છે, માટે જો ભૂલથી છૂટી જાય તો સજદએ સહવ વાજિબ નહિ થાય. જો કે ફિકહની અમુક કિતાબો જેમ કે, ‘તબયીનુલ હકાઈક અને ‘મરાકિયુલ ફલાહમાં તકબીરે કુનૂતને અને ભૂલથી તેના છૂટી જવા ઉપર સજદએ સહવને વાજિબ બતાવવામાં આવ્યો છે. પરંતુ આ બીજું મંતવ્ય મરજૂહ છે. પહેલાં મંતવ્ય મુજબ પણ તકબીરે કુનૂત સુન્નત તો છે જ. એટલે જાણી જોઈને છોડવી ન જોઈએ. (‘શામી ૧/૩૧પ, ‘બહર ર/૯૬, ‘તહતાવી ૧૩૭)

Log in or Register to save this content for later.