[ર૯૬] ઝિનાથી પેદા થયેલ બાળક ઝાનીનો

Chapter : નિકાહ

(Page : 340)

વારસદાર ગણાશે નહીં

સવાલ :– એક માણસે ઝિના કર્યો અને તે જ વખતે અવરતને હમલ રહી ગયો, આ મર્દ તથા અવરત બન્‍નેને હમલની ખબર છે, હવે હમલની મુદ્દત પૂરી થતાં બચ્ચાંનો જન્મ થયો, તો એ બચ્ચું કોનું? જો આ બચ્ચું મર્દ લઈ લે, અથવા મર્દને આપવામાં આવે તો બચ્ચું વારસામાં હકદાર ગણાશે કે નહિ ? અને હક કેટલો આપવામાં આવશે? અને આ મર્દે ગુનાહથી તવબહ કરી લીધી છે તો ગુનોહ માફ થશે કે નહિ?

જવાબઃ– ઝિનાથી પેદા થયેલું બચ્ચું ઝિનાખોર મર્દનું નસબી બચ્ચું નહિ ગણાય અને ઝિનાખોર માટે તે બચ્ચા વિષે પોતાનું બચ્ચું હોવાનો દાવો કરવો પણ જાઈઝ નથી, જો તે બચ્ચાને ઝિનાખોર પોતાની પાસે રાખશે અથવા તેને સોંપવામાં આવશે તો પણ તે બચ્ચું તેના નસબી છોકરા તરીકે તેનું વારસદાર નહીં બને.          (શામી–ર/ર૯ર)

                અને સાચી તવબહ અને ઈસ્તિગ્ફારથી ઝિનાનો ગુનોહ માફ થઈ શકે છે.

Log in or Register to save this content for later.